શું હતું ભગવાન શ્રીકૃષ્ણનું આખુ નામ? કોણ હતું કૃષ્ણને સૌથી પ્રિય? જાણો કૃષ્ણ સાથે જોડાયેલી અજાણી વાતો

Janmashtami 2022: ભગવાન શ્રીકૃષ્ણ વિશે આપણે તમે જેટલું જાણો એટલું તમને ઓછું લાગશે. કારણકે, ભગવાનના અનેકરૂપ છે અનેક ભૂમિકાઓ છે, ભગવાનની અનેક લીલાઓ છે.

શું હતું ભગવાન શ્રીકૃષ્ણનું આખુ નામ? કોણ હતું કૃષ્ણને સૌથી પ્રિય? જાણો કૃષ્ણ સાથે જોડાયેલી અજાણી વાતો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની લીલા વિષે આપણને બધાં ને થોડી ઘણી માહિતી હોય છે પણ આ અહેવામાં અમે ભગવાન વિશે એ બધી જ રસપ્રદ માહિતી રજૂ કરી છે, જે વાંચવામાં તમને ખુબ આનંદ આવશે સાથે જ આ જાણકારી તમારા માટે ઘણી ઉપયોગી નિવડશે. 

1-    ભગવાન શ્રીકૃષ્ણ નું નામઃ-
ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ અને આધુનિક સમયમાં તેમનું નામ હિઝ હાઈનેસ મહારાજાધિરાજ 10008 શ્રી,શ્રી,શ્રી, કૃષ્ણચંદ્રસિંહજી વાસુદેવસિંહજી નેક નામદાર મહારાજા ઓફ દ્વારકા.

2-    જન્મ તિથી:- 
વર્ષ સંવત 3285 શ સંવત 3150 શ્રાવણ વદ આઠમ 

3-    નક્ષત્ર સમય:- 
રોહિણી નક્ષત્ર રાત્રીના 12 કલાકે 

4-    રાશી લગ્ન:- 
વૃષભ લગ્ન અને વૃષભ રાશી

5-    જન્મ સ્થળ:-
રાજા કંસની રાજધાની મથુરામાં તાલુકો, જીજિલ્લો- મથુરા, ઉત્તર પ્રદેશ

6-    વંશ, કુળ:- 
ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર, માધુપુર

7-    યુગ મન્વન્તર:- 
દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર

8-    વર્ષ:- 
દ્વાપર યુગનો 8,63874 વર્ષ 4 માસ અને 22માં દિવસે

9-    માતા:- 
દેવકી, રાજા કંસના સગા કાકા દેવરાજની પુત્રી, જેને કંસે પોતાની બહેન માની હતી

10-    પિતા:- 
વસુદેવ જેમનું લાડકું નામ હતું આનંદ દુદુંભી 

11-    પાલક માતા પિતા:- 
મુક્તિ દેવીનો અવતાર યશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ

12    મોટા ભાઈ:- 
વસુદેવ અને રોહિણીના પુત્ર શેષનો અવતાર, શ્રી બલરામજી

13-    બહેન:- 
સુભદ્રા

14-    ફોઈ:- 
વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી

15-    મામા:- 
કાળનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ

16-    બાળસખા:- 
સાંદીપની ઋષિ આશ્રમના સહપાઠી સુદામા

17-    અંગત મિત્ર:- 
અર્જુન

18-    પ્રિય સખી:- 
‌દ્રૌપદી

19-    પ્રિય પ્રેમિકા:- 
સાક્ષાત ભક્તિનો અવતાર રાધા

20-    પ્રિય પાર્ષદ:-
સુનંદ

21-    પ્રિય સારથી:- 
દારુક

22-    રથનું નામ:- 
નંદી ઘોષ રથ, જેની સાથે શૈબ્ય, મેઘપુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા

23-    રથ ઉપરના ધ્વજ:- 
ગરુડધ્વજ, ચક્રધ્વજ, કપિધ્વજ

24-    રથના રક્ષક:- 
નૃસિંહ ભગવાન

25-    ગુરુ અને ગુરુકુળ:- 
સાંદીપની ઋષિ, ગગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું

26-    પ્રિય રમત:- 
ગેડી દડો, ગિલ્લીદંડા, માખણ ચોરી, મટુક્ડીઓ ફોડવી, રાસલીલા

27-    પ્રિય સ્થળ:- 
ગોકુળ, વૃંદાવન, વ્રજ, ધ્વારકા

28-    પ્રિય વૃક્ષ:- 
કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ

29-    પ્રિય શોખ:- 
વાંસળી વગાડવી, ગાયો ચરાવવી

30-    પ્રિય વાનગી:- 
તાંદુલ, દૂધ, દહીં, છાશ, માખણ

31-    પ્રિય પ્રાણી:- 
ગાય, ઘોડા

32-    પ્રિય ગીત:- 
શ્રીમદ ભગવદ ગીતા, ગોપીઓના ગીતો, રાસ

33-    પ્રિય ફળ ક્ષત્રિય કર્મ:- 
હણે એને હણવામાં કોઈ પાપ નથી, કર્મ કરો ફળની આશા રાખશો નહીં

34-    પ્રિય હથિયાર:- 
સુદર્શન ચક્ર

35-    પ્રિય સભામંડપ:- 
સુધર્મા

36-    પ્રિય પીંછુ:- 
મોરપિચ્છ ભગવાન શ્રીકૃષ્ણ

37-    પ્રિય પુષ્પ:- 
કમળ અને કાંચનાર

38-    પ્રિય ઋતુ:- 
વર્ષા ઋતુ, શ્રાવણ મહિનો, હિંડોળાનો સમય

39-    પ્રિય પટરાણી:- 
રુક્ષ્મણીજી

40-    પ્રિય મુદ્રા:- 
વરદમુદ્રા, અભ્યમુદ્રા, એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રહેવું

41-    ઓળખ ચિહ્ન:- 
ભ્રૃગુ ઋશિએ છાતીમાં લાત મારીતે શ્રીવત્સનું ચિહ્ન

42-    વિજય ચિહ્ન:- 
પંચજન્ય શંખનો નાદ

43-    મૂળ સ્વરૂપ:- 
શ્રી અર્જુનને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન

44-    આયુધો:- 
સુદર્શન ચક્ર, કૌમુકી ગદા, સારંગપાણીધનુષ, વિધ્યાધર તલવાર, નંદક ખડગ

45-    બાળ પરાક્રમ:- 
કાલીનાગ દમન, ગોવર્ધન ઊંચક્યો, દિવ્ય રાસલીલા

46-    પટરાણીઓ:- 
રુક્ષ્મણી, જાંબવતી, મિત્ર વૃંદા, ભદ્રા, સત્યભામા, લક્ષ્મણા, કાલિંદી, નાગ્નજીતી

47-    12 ગુપ્ત શક્તિઓ:- 
કીર્તિ, ક્રાંતિ, તૃષ્ટિ, પુષ્ટિ, ઈલા, ઉર્જા, માયા, લક્ષ્મી, વિદ્યા, પ્રીતિ, અવિધા, સરસ્વતી

48-    શ્રી કૃષ્ણનો અર્થ:- 
સહાયમ, કાળું, ખેંચવું, આકર્ષણ, સંકર્ષણ

49-    દર્શન આપ્યા:- 
જશોદા, અર્જુન, રાધા, અક્ર્રુરજી નારદ, શિવજી, હનુમાન, જાંબુવાન

50-    ચક્રથી વધ:- 
શિશુપાલ, બાણાસુર, શત્ધન્વા, ઇન્દ્ર, રાહુ

51-    પ્રિય “ગ”:- 
ગોપી, ગાય, ગોવાળ, ગામડું, ગીતા, ગોઠડી, ગોરસ, ગોરજ, ગોમતી, ગુફા

52-    પ્રસિદ્ધ થયેલા નામો:- 
કાનો, લાલો, રણછોડ, દ્વારકાધિશ, શામળિયો, યોગેશ્વર, માખણચોર, જનાર્દન

53-    ચાર યોગ:- 
ગોકુળમાં ભક્તિ, મથુરામાં શક્તિ, કુરુક્ષેત્રમાં જ્ઞાન, દ્વારિકામાં કર્મ યોગ

54-    વિશેષતા:- 
જીવનમાં ક્યારેય રડ્યા નથી

55-    કોની કોની રક્ષા કરી:- 
દ્રૌપદીનાં ચીર પૂર્યા, સુદામાની ગરીબી દૂર કરી, ગજેન્દ્રનો મોક્ષ, મહાભારતના યુદ્ધમાં પાંડવોની રક્ષા કરી, ત્રીવ્કા દાસીની ખોડ દુર કરી, કુબ્જાને રૂપ આપ્યું, નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા, યુદ્ધ વખતે ટીંટોડીના ઈંડા બચાવ્યા

56-    મુખ્ય તેહવાર:- 
જન્માષ્ટમી, રથયાત્રા, ભાઈ બીજ, ગોવર્ધન પૂજા, તુલસી વિવાહ, ગીતા જયંતિ, ભાગવત સપ્તાહ, યોગેશ્વર દિવસ, તમામ પાટોત્સવ, નંદ મહોત્સવ, દરેક માસની પૂનમ અને હિંડોળા

57-    ધર્મ ગ્રંથ અને સાહિત્ય:- 
શ્રીમદ ભગવદ ગીતા, મહાભારત, શ્રીમદ ભાગવદ 108 પુરાણો, હરિવંશ, ગીત ગોવિંદ , ગોપી ગીત, ડોંગરેજી મહારાજનું ભગવદ જનકલ્યાણ ચરિત્ગ્રંથો અને અન્ય અઢળક.

58-    શ્રીકૃષ્ણ ચરિત્રોને લગતા સ્વરૂપો:- 
નટખટ બાળ કનૈયો, માખણ ચોર કનૈયો, વિગેરે

59-    શ્રી કૃષ્ણ ભક્તિના વિવિધ સંપ્રદાય:- 
શ્રી સંપ્રદાય, કબીર પંથ,  મીરાબાઈ, રામાનંદ, વૈરાગી, વૈષ્ણવ, વિગેરે

60-    સખા સખી ભક્ત જન:-
સુદામા, ઋષભ, કુંભણદાસ, અર્જુન, ત્રિવકા, ચંદ્રભાગા, અંશુ, સુરદાસ, પરમાનંદ, દ્રૌપદી, શ્યામા, તુલસીદાસ, વિન્ધાયાવ્લી અને વિદુર

61-    શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ:- 
સવારે – ભૈરવ વિલાસ, દેવ ગંધાર, રામકલી, પંચમ સુહ, હિંડોળા રાગ,  બપોરે –બીલાવલ, તોડી, સારંગ, ધનાશ્રી, આશાવરી,

62-    ભગવાન શ્રી કૃષ્ણની આરતીની વિશિષ્ટતા:-
સવારે 6 વાગ્યે મંગળા 
સવારે 8.15 બાળ ભોગ
સવારે 9.30 શણગાર
સવારે 10 વાગ્યે ગોવાળ ભોગ
સવારે 11.30 રાજભોગ
બપોરે 4 વાગે ઉત્થાન આરતી
સાંજે 5.30 વાગ્યે શયન ભોગ
સાંજે 6.30 સુખડી ભોગ
સાંજે 7 વાગે શયન આરતી

63-    પહેરવેશ:-
માથા સુંદર પાઘ એમાં મોર પીછની કુદરતી કલગી, કાન પર કુંડળ, ગાળામાં વૈજ્યન્તી માળા,  હાર, હાથના કાંડા પર બાજુબંધ, કળાકાર કંકણ, એક હાથમાં વાંસળી બીજા હાથમાં કમળ, કેડે કંદોરો, શીન્ડીને છડી, પગમાં સાંકળા, લલાટે ક્સ્તુરીયુંક્ત ચન્દનનું તિલક પીળું પીતાંબર, અંગરખું.

64-    કોનો કોનો વધ કર્યો:-
પુતના, વ્યોમાસુર, અરીશ્તાસુર, શિશુપાલ ભસ્માસુર, અધાસુર, વગેરે 

65-    જીવનમાં 8 અંકનું મહત્વ:-
દેવકીનું આઠમું સંતાન, શ્રીવિષ્ણુભગવાન નો આઠમો અવતાર, કુલ 8 પટરાણીઓ, શ્રાવણ વદ 8નો જન્મ, જુદા જુદા 8 અષ્ટક, કુલ 8 સિદ્ધિના દાતા, શ્રેષ્ઠ મંત્ર શ્રીકૃષ્ણ શરણમ્ મમ અને ૐ નમો ભગવતે વાસુદેવાય

66-    ભગવાન શ્રી કૃષ્ણના અવતારના 12 કારણો:-
ધર્મની સ્થાપના, કૃષિ કર્મ, પૃથ્વી ની રસાળતા, જીવો નું કલ્યાણ, યજ્ઞ કર્મ, યોગ નો પ્રચાર, સત્કર્મ, અસુરોનો નાશ, ભક્તિ નો પ્રચાર, સ્જ્નનો ની રક્ષા, ત્યાગ ની ભાવના

67-     11 બોધ પ્રેમ:-
માતૃ પ્રેમ, પિતૃ પ્રેમ, મિત્ર પ્રેમ, કર્મ, જ્ઞાન, ભક્તિ, ગ્રામોધ્ધાર, ફરજ પાલન, સ્ત્રી દાક્ષિણ્ય, રાજ નીતિ, કૂટ નીતિ, યોગ -સ્વાસ્થ્ય, જેવા સાથે તેવા અન્યાયનો પ્રતિકાર દુષ્ટોનો સંહાર

68-    11ના આંકનું મહત્વ:-
ભગવદ ગીતાનો ઉપદેશ માગશર વદ 11, યાદવોની વસ્તી 56 કરોડ હતી, શ્રેષ્ટ ઉપવાસ અગિયારસનો, અર્જુનને વિરાટ દર્શન દેખાડ્યું તે 11મો અધ્યાય, મથુરા છોડ્યું ત્યારે ઉંમર 11 વર્ષ

69-    મૃત્યુના કારણો:-
ગાંધારીનો શ્રાપ, દુર્વાસા મુનીનો શ્રાપ, વાલીનાં વધનું કારણ

70-    દેહ ત્યાગ નું સ્થળ:-
સોમનાથ તીર્થ, પ્રભાસ પાટણ, જિલ્લો ગીર-સોમનાથ, હિરણ્ય નદી, કપિલા નદી, સરસ્વતી નદીનાં સંગમ સ્થાને પીપળાના વૃક્ષ નીચે ભાલકા તીર્થ વાલીનો અવતાર પારધીના બાણથી અવસાન બાદ તેમનું તેજ,  ભાગવત ગીતા મહાપુરાણ અવસાન બાદ તેમનો અંશ,  શાલિગ્રામ

71-    અવસાનની વિગત:- 
મહાભારતના યુદ્ધ વખતે 89 વર્ષ 2 માસ 7 દિવસ શુક્રવાર,  મૃત્યુ સમયે તેમની ઉંમર 125 વર્ષ 7 માસ 7 દિવસ,  તારીખ 18-02-3102 ઈ.સ. પૂર્વ શુક્રવાર બપોરના 2 કલાક 7 મિનિટને ૩૦ સેકન્ડ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news