Bhagwant Mann: પંજાબ CM વિરૂદ્ધ ફરિયાદ દાખલ, નશામાં ગુરૂદ્રારા પહોંચવાનો આરોપ

Police Complaint against Bhagwant Mann accused of Drunk entry in Gurudwara: શિરોમણી ગુરૂદ્રારા મેનેજમેન્ટ સમિતિ SGPC) એ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) સામે નશામાં ગુરૂદ્રારા જઇને ગુરૂના ધામની 'મર્યાદા' કથિત રૂપથી ભંગ કરવાને લઇને સિખો પાસે માફીની માંગ કરી છે. 

Bhagwant Mann: પંજાબ CM વિરૂદ્ધ ફરિયાદ દાખલ, નશામાં ગુરૂદ્રારા પહોંચવાનો આરોપ

Police Complaint against Bhagwant Mann accused of Drunk entry in Gurudwara: શિરોમણી ગુરૂદ્રારા મેનેજમેન્ટ સમિતિ SGPC) એ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) સામે નશામાં ગુરૂદ્રારા જઇને ગુરૂના ધામની 'મર્યાદા' કથિત રૂપથી ભંગ કરવાને લઇને સિખો પાસે માફીની માંગ કરી છે. 

2 દિવસ પહેલાં પંજાબ CM પર લાગ્યા આરોપ
SGPC એ માંગ ત્યારે કરી છે જ્યારે 2 દિવસ પહેલાં ગુરૂવારે શિરોમણિ અકાલી દળ (SAD) ના પ્રમુખ સુખબીર સિંહ બાદલ (Sukhbir Singh Badal) એ માન પર નશામાં બઠિંડામાં તખ્ત દમદમા સાહિબ જવાનો આરોપ લગાવ્યો હતો. જોકે સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ આ આરોપને 'ખોટા અને પાયાવિહોણા' ગણાવ્યા છે. 

ગુરૂના ધામનું કર્યું અપમાન
SGPC એ એમ કહેતાં મુખ્યમંત્રી પાસે માંફી માંગવાનું કહ્યું છે કે નશાની હાલતમાં તેમનું જવું 'સિખ મર્યાદા'નું ઉલ્લંઘન છે અને ગુરૂના ધામની પવિત્રતાના વિરૂદ્ધ છે. એક સંયુક્ત નિવેદનમાં SGPC ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રઘુજીત સિંઘ, કનિષ્ઠ ઉપાધ્યક્ષ સુરિંદર સિંહ અને મહાસચિવ કરનૈલ સિંહ પાંજોલીએ કહ્યું કે 'ગુરૂના ધામની પવિત્રતાને પંજાબના મુખ્યમંત્રી દ્રારા ભૂલાવી દેવી ફક્ત સંવૈધાનિક પદનું અપમાન છે પરંતુ અનૈતિકતાની પરાકાષ્ઠા છે.' 

સિખ સમુદાયનું કર્યું અપમાન
તેમણે કહ્યું કે 'ભગવંત માને તત્કાલ સિખ સમુદાય પાસે માફી માંગવી જોઇએ તથા તેમને સિખોની ભાવનાઓ તથા ગુરૂના ધામની 'મર્યાદા'નો ખ્યાલ રાખવો જોઇએ. ભાજપની દિલ્હી એકમના નેતા તાજિંદર પાલ સિંહ બગ્ગા (Tajinder Pal Singh Bagga) એ શનિવારે કહ્યું કે તેમણે પંજાબના મુખ્યમંત્રીના વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. 

— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) April 16, 2022

બગ્ગાએ ટ્વીટ કર્યું 'નશાની હાલતમાં ગુરૂદ્રારા દમદમા સાહિબમાં પ્રવેશ કરવાને લઇને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના વિરૂદ્ધ (મેં) પોલીસમાં ફરિયાદ કરી છે. હું મારી ફરિયાદ પર પંજાબના પોલીસ મહાનિર્દેશ પાસે કાર્યવાહી કરવાનો અનુરોધ કરું છું. 

બગ્ગા પર થઇ કાર્યવાઇ
પંજાબ પોલીસે તાજેતરમાં જ આપના નેતાની ફરિયાદ પર બગ્ગા વિરૂદ્ધ ભટકાઉ નિવેદન આપવા,, વૈમનસ્ય ફેલાવવા તથા આપરાધિક ધમકીને લઇને કેસ દાખલ કર્યો હતો. બગ્ગાએ 'કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મને લઇને કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news