Shani Gochar 2023: વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ

17 જાન્યુઆરી 2023 ના રોજ શનિ રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એવામાં કેટલીક રાશિ પર શનિની મહાદશા સમાપ્ત થઇ જશે. સાથે જ કેટલાક લોકોને સંકટમાંથી મુક્તિ મળી જશે.

Shani Gochar 2023: વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ

Shani Rashi Parivartan 2023: જ્યોતિષના અનુસાર તમામ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિથી ચાલનાર ગ્રહ છે. વર્ષ 2023 ની શરૂઆતમાં શનિ ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે. 17 જાન્યુઆરી 2023 ના રોજ શનિ રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એવામાં કેટલીક રાશિ પર શનિની મહાદશા સમાપ્ત થઇ જશે. સાથે જ કેટલાક લોકોને સંકટમાંથી મુક્તિ મળી જશે.

ધન રાશિ
તમને જણાવી દઇએ કે આ રાશિના ત્રીજા ભાવમાં શનિ ગોચર કરવા જઇ રહ્યો છે. આ રાશિવાળા પર ગત સાડા સાત વર્ષથી શનિની સાડાસાતી ચાલી રહી છે. એવામાં માનસિક અને શારીરિક તણાવમાંથી મુક્તિ મળી જશે. જીવનમાં આવનાર ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળશે. આર્થિક પક્ષ મજબૂત થશે. નોકરીઓમાં પણ પદોન્નત્તિની સંભાવના છે. લાંબા સમયથી જે કામને કરવાનું વિચારી રહ્યા છે, તેમાં સફળતા મળશે. 

તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર શનિ પંચમ ભાવમાં ગોચર કરવા જઇ રહ્યા છે. તેનાથી તેમને ઢનિ પનોતીમાંથી મુક્તિ મળી જશે. લાંબા સમયથી જે કામ માટે મહેનત કરી રહ્યા છે. તેમાં હવે સફળતા પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં તાલમેલ સારો રહેશે. નોકરી અને બિઝનેસમાં પણ અપાર સફળતા મળશે. જો કોઇ વ્યક્તિ સાથે પાર્ટનરશિપમાં કામ કરવાનું વિચારી રહ્યા છો, તો આ અનુકૂળ સમય હશે. 

મિથુન રાશિ
શનિ આ રાશિના ભાગ્ય સ્થાન પર ગોચર કરવા જઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે મિથુન રાશિવાળા પર વર્ષ 2020 થી શનિની પનોતી ચાલી રહી છે. પરંતુ આ ગોચરથી તેમને છુટકારો મળી જશે. શનિના કુંભમાં ગોચર કરવાથી આ લોકોનું ભાગ્ય જાગૃત થશે. બિઝનેસ અને નોકરીમાં અપાર સફળતા પ્રાપ્ત થશે. એટલું જ નહી પરિવારની વચ્ચે ચાલી રહેલી માથાકૂટમાંથી પણ છુટકારો મળી જશે. લાંબા સમયથી બિમારીમાંથી પણ આ દરમિયાન મુક્તિ મળી શકે છે. 

વૃભષ રાશિ
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર શનિ આ રાશિના દશમ ભાવમાં ગોચર કરવા જઇ રહ્યો છે. તેનાથી આ રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થઇ જશે. શનિ આ રાશિની કુંડળીમાં ભાગ્યના સ્થાનને પ્રભાવિત કરી રહ્યો છે. પરંતુ જાન્યુઆરીમાં કુંભ રાશિમાં ગોચર કરવાથી શનિદેવનો પ્રકોપ ખતમ થઇ જશે. એવામાં આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. બિઝનેસમાં પણ અપાર સફળતા પ્રાપ્ત કરશે. આ દરમિયાન વિદેશ યાત્રાના શુભ યોગ બની રહ્યો છે. શનિના ગોચરથી આ રાશિના જાતકોના આર્થિક મામલામાં પણ મજબૂતી આવશે. ગત કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે. 

આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news