દેશ માટે કેમ જરૂરી છે Privatization? PM મોદીએ ગણાવ્યા આ ફાયદા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ખાનગીકરણ પર વેબિનાર (Webinar on Privatization) માં કહ્યું કે બજેટ 2021-22માં ભારતને વૃદ્ધિના માર્ગ પર લઇ જવા માટે સ્પષ્ટ રૂપરેખા બનાવવામાં આવી છે

દેશ માટે કેમ જરૂરી છે Privatization? PM મોદીએ ગણાવ્યા આ ફાયદા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ખાનગીકરણ પર વેબિનાર (Webinar on Privatization) માં કહ્યું કે બજેટ 2021-22માં ભારતને વૃદ્ધિના માર્ગ પર લઇ જવા માટે સ્પષ્ટ રૂપરેખા બનાવવામાં આવી છે. વેબિનારમાં પીએમ મોદીએ તે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે દેશ માટે ખાનગીકરણ કેમ જરૂરી થઇ ગયું છે. તેમણે આ વાત પર પ્રકાશ પાડ્યો કે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝથી સરકાર અને દેશને શું નુકસાન થઇ રહ્યું છે. 

કેમ ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે સરકાર?
પીએમએ કહ્યું કે સરકાર પોતે વેપાર ચલાવે, તેની માલિક બની રહે, આજના યુગમાં આ જરૂરી છે અને ના તો આ સંભવ રહ્યું. તેમણે કહ્યું કે સરકાર જ્યારે વેપાર કરવા લાગે છે તો ખૂબ નુકસાન થાય છે. નિર્ણય લેવામાં સરકાર સામે બંધન હોય છે. સરકારમાં વાણિજ્યિક નિર્ણય લેવાનો અભાવ રહે છે. તમામને આરોપ અને કોર્ટનો ડર રહે છે. આ કારણે વિચારે છે કે ચાલી રહ્યું છે તેને ચાલવા દો વિચાર સાથે વેપાર થઇ ન શકે. 

— ANI (@ANI) February 24, 2021

વેબિનારમાં રોકાણ અને સાર્વજનિક સંપત્તિ મેનેજમેન્ટ વિભાગ માટે બજેટમાં જાહેરાતો પર બોલતાં પીએમએ કહ્યું કે સરકારનું વેપારમાં રહેવાનું કોઇ કામ નથી. સરકારનું ધ્યાન લોકોના કલ્યાણ અને વિકાસ સાથે જોડાયેલા પ્રોજેક્ટમાં જ રહેવું જોઇએ. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘણી સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ નુકસાનમા6 છે, એકમોને કરદાતાઓ પાસેથી મદદ આપવામાં આવી રહી છે. ખરાબ હાલથી સાર્વજનિક એકમોને નાણાકીય સમર્થનથી અર્થવ્યવસ્થા પર બોજો પડે છે, સરકાર કંપનીઓને ફક્ત એટલા માટે ચલાવવી ન જોઇએ કે તે વારસામાં મળી છે. 

સરકાર આધુનિકરણ પર ધ્યાન આપી રહી છે: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે સરકાર પાસે એવી સંપત્તિઓ છે, જેનો પૂર્ણ રૂપથી ઉપયોગ થયો નથી અથવા બેકાર પડી છે. 100 પરિસંપત્તિઓને બજારમાં ચઢાવીને 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવામાં આવશે. તેમણે કહ્યું કે 'સરકાર મૌદ્રિકરણ, આધુનિકરણ પર ધ્યાન આપી રહી છે, ખાનગી ક્ષેત્રથી દક્ષતા આવે છે, રોજગાર મળે છે.' તેમણે આગળ કહ્યું કે ખાનગીકરણ, સંપત્તિના મૌદ્રિકરણથી જે પૈસા આવશે તેને જનતા પર ખર્ચ કરવામાં આવશે. 

મોદીએ નવી PSU ખાનગીકરણ નીતિ પર કહ્યું કે 'વેબિનારમાં પીએમએ કહ્યું કે સરકાર ચાર રણનીતિક ક્ષેત્રોને છોડીને અન્ય તમામ ક્ષેત્રોના સાર્વજનિક ઉપક્રમોને ખાનગીકરણ પ્રતિબદ્ધ છે. રણનીતિક મહત્વવાળા ચાર ક્ષેત્રોમાં સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને ઓછામાં ઓછા સ્તર પર રાખવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news