સવારમાં ખાલી પેટે ભૂલથી પણ ન ખાવ આ ચીજવસ્તુઓ, નહીં તો 108 ને ફોન કરીને બોલાવવી પડશે!

સવારમાં ખાલી પેટે ભૂલથી પણ ન ખાવ આ ચીજવસ્તુઓ, નહીં તો 108 ને ફોન કરીને બોલાવવી પડશે!

નવી દિલ્લીઃ વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી ખુબ જ બદલાઈ ગઈ છે. હાલ લોકો પૈસા કમાવવાની લ્હાયમાં સતત દોડધામ કરતા રહે છે. દિવસ-રાત જોયા વિના લોકો રોજગાર-ધંધા માટે ચિંતાતૂર થઈને ભૂખ્યાં-તરસ્યા રહીને કામ કરતા રહે છે. ખરાબ જીવનશૈલી અને ખાવાની ખરાબ ટેવના કારણે લોકો માટે પેટ ખરાબ થવું સામાન્ય બની ગયું છે. દર 5માંથી 1 વ્યક્તિ આ દિવસોમાં પેટ ખરાબ થવાની સમસ્યાનો સામનો કરી રહી છે.

સવારે ઉઠ્યાના 2 કલાક બાદ કરો નાસ્તોઃ
તબીબી નિષ્ણાતો કહે છે કે, સવારે ઉઠ્યાના ઓછામાં ઓછા 2 કલાક પછી નાસ્તો લેવો જોઈએ. આનું કારણ એ છે કે, કેટલાક કલાકો સુધી ઉંઘ્યા પછી શરીરનું પાચનતંત્ર કામ કરવાનું શરૂ કરે છે અને તેને સક્રિય થવા માટે થોડો સમય જોઈએ. નાસ્તામાં ખાલી પેટે એવા ખોરાક ન ખાવા જોઈએ જે પેટ અને શરીરને નુકસાન પહોંચાડે છે. આવી વસ્તુઓ શું છે, અમે તમને અહીં જણાવીએ છીએ.

ખાલી પેટ ન ખાવ કાચા શાકભાજીઃ
કાચા શાકભાજી અને સલાડમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમને ખાલી પેટ ખાવાથી શરીર પર વધારાનો ભાર પડી શકે છે. ખાલી પેટ આ વસ્તુઓ ખાવાથી પેટ ફૂલવું અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે, તેથી સવારે ખાલી પેટ કાચા શાકભાજી ખાવાનું ટાળો.

જ્યૂસથી ન કરો દિવસની શરૂઆતઃ 
નિષ્ણાતોના મતે દિવસની શરૂઆત ક્યારેય પણ ફળોના રસથી ન કરવી જોઈએ. તેનું કારણ એ છે કે, રસ સ્વાદુપિંડ પર વધારાનો ભાર મૂકી શકે છે, જે શરીર માટે સારું નથી. ખાલી પેટને કારણે, ફળોમાં ફ્રુક્ટોઝના રૂપમાં હાજર ખાંડ લીવર પર વધુ દબાણ લાવી શકે છે, તેથી સવારે ખાલી પેટે જ્યુસ પીવાનું ટાળો.

પેટમાં એસિડિટી કરી શકે છે કોફીઃ 
એક કપ કોફી સાથે દિવસની શરૂઆત કરવી એ ખૂબ જ સામાન્ય બાબત છે. ખાલી પેટ કોફી પીવાથી એસિડિટી થઈ શકે છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી પાચનતંત્રમાં હાઈડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે, જેના કારણે કેટલાક લોકોમાં પેટની સમસ્યા થાય છે, તેથી ખાલી પેટ કોફીનું સેવન ટાળો.

ખાલી પેટ દહીં ખાવાથી નુકસાનઃ
દહીં ખાવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે પરંતુ તેને ક્યારેય પણ સવારે ખાલી પેટ ન ખાવું જોઈએ. તેનું કારણ એ છે કે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે પેટની એસિડિટીના સ્તરને ખલેલ પહોંચાડે છે. તેમાં રહેલું લેક્ટિક એસિડ પેટમાં રહેલા સારા બેક્ટેરિયાને મારી શકે છે. જેના કારણે પેટમાં દુખાવો અને એસિડિટીની સમસ્યા વધી જાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news