Vastu Tips: જીવનમાં પ્રગતિ અને સુખ જોઈએ છે? તો જાણી લો ઘરમાં હનુમાનજીની કઈ તસવીર ક્યાં લગાવવી

નવી દિલ્લીઃ જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીને ઘરમાં હનુમાનજીની મૂર્તિ કે તસવીર મુકવામાં આવે તો જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં એવા ઘરમાં હંમેશા હનુમાનજીનો વાસ રહે છે. એવા ઘરમાં હંમેશા હનુમાનજીની કૃપા દ્રષ્ટ્રિ રહે છે. હનુમાનજી જલદી પ્રસન્ન થઈ જવા વાળા દેવતા છે. એ જ કારણ છેકે, હનુમાનજીના ભક્તોની સંખ્યા ખુબ જ વિશાળ છે.

હનુમાનજીના ચિત્ર માટે આ દિશા હંમેશા ગણાય છે સૌથી શુભ:

1/5
image

વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીને ઘરમાં હનુમાનજીની મૂર્તિ કે તસવીર મુકવામાં આવે તો ઘરમાંથી નેગેટિવ એનર્જી હંમેશા માટે દૂર થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ હનુમાનજીની તસવીર હંમેશા દક્ષિણ દિશાની તરફ હોવી જોઈએ. આ દિશા હનુમાનજીની તસવીર મુકવા માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. હનુમાનજીએ પોતાની શક્તિઓનો સૌથી વધુ પ્રભાવ દક્ષિણ દિશામાં દેખાડ્યો હતો.  

હનુમાનજીની બેસેલી તસવીરઃ

2/5
image

દક્ષિણ દિશાથી આવનારી નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓને દૂર કરવા માટે ઘરમાં હનુમાનજીની બેસેલી તસવીર રાખવી જોઈએ. તેથી ઘરમાં દક્ષિણ દિશામાં હનુમાનજીની બેઠેલી મુદ્રામાં લાલ રંગની તસવીર જરૂર લગાવો.   

 

પંચમુખી હનુમાનજીનું ચિત્રઃ

3/5
image

વાસ્તુશાસ્ત્રની માનીએ તો પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર જે ઘરમાં જે ઘરમાં હોય છે ત્યાં પ્રગતિના માર્ગામાં આવનારી તમામ અડચણો આપમેળે જ દૂર થઈ જાય છે. અને તેવા ઘરમાં સતત ધન અને વૈભવની વૃદ્ધિ થાય છે. ઘરના મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની તસવીર લગાવવાથી ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશી શકતી નથી.  

કીર્તન કરતા હનુમાનજીની તસવીરઃ

4/5
image

જે ઘરમાં કીર્તન કરતા હનુમાનજીની તસવીર લગાવેલી હોય છે તે ઘરમાં પરિવારના સભ્યોમાં પ્રેમ અને આંતરીક સુમેળ બન્યો રહે છે. ઘરમાં શ્રી રામના ચરણોમાં બેસેલાં હનુમાનજી અથવા કીર્તન કરતા હનુમાનજીની તસવીર જરૂર રાખવી જોઈએ. ઘરમાં આવી તસવીર રાખવી ખુબ જ શુભ મનાય છે.

પર્વત ઉઠાવતા હનુમાનજીની તસવીરઃ

5/5
image

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં પર્વ ઉઠાવતા હનુમાનજીની તસવીર રાખવાથી આપનામાં અને આપના પરિવારના સભ્યોની સાહસિક વૃત્તિમાં વધારો થશે. ધંધા-રોજગારનો વિકાસ થશે. તમે દરેક પડકારને પહોંચી વળશો. આ ઉપરાંત જો તમારા ઘરમાં ઉડતા હનુમાનજીની તસવીર લગાવવામાં આવે તો ચોક્કસથી પ્રગતિ થાય છે. તમારા ધાર્યા કામો પાર પડે છે અને દરેક કામમાં સફળતા મળે છે એવી માન્યતા છે.

(નોંધ- આ લેખમાં જે સુચનામાં આપવામાં આવી છે તે સામાન્ય જાણકારી અને માન્યતાઓને આધારે આપેલી છે. ZEE 24 કલાક આ બાબતોની કોઈ પુષ્ટિ કરતું નથી.)