દેવ દિવાળીએ ફોડાયેલા ફટાકડાથી અમદાવાદના લાટી બજારમાં લાગી વિકરાળ આગ

Ahmedabad Fire : અમદાવાદના ગીતા મંદિરમાં આગનો બનાવ... લાટી બજારમાં મોડી રાત્રે આગની ઘટના... પ્લાયવુડની દુકાનમાં આગથી અફરાતફરી મચી... 15થી વધુ ફાયરની ગાડીએ આગ પર કાબૂ મેળવ્યો... સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ નહીં... આગના બનાવના પગલે લાખો રૂપિયાનું નુકસાન

1/4
image

અમદાવાદના ગીતા મંદિર સ્થિત લાટી બજારમાં મોડી રાતે આગનો બનાવ બન્યો હતો. પ્લાયવુડની દુકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. જોકે, વિકરાળ આગ ઉપર કાબુ મેળવતા ફાયરબ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કોલ મળતા જ ફાયર વિભાગના 15 થી વધુ વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ આગ ઉપર કાબુ મેળવી લેવાયો, કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ આગને પગલે મોટું નુકસાન થયું છે. 

2/4
image

ગીતા મંદિરના લાટી બજારમાં વિભાગ 3 માં આવેલી પ્લાયવુડના દિલ્હી રાજસ્થાન ટ્રાન્સપોર્ટ હાઉસ નામના ગોડાઉનમાં આગ લાગી હતી. મોડી રાતે આગ પર કાબૂ તો મેળવી લેવાયો હતો, પરંતું સતત નીકળી રહેલા ધુમાડાને ઠારવા માટેની કાર્યવાહી આજે સવારે પણ યથાવત છે.   

3/4
image

દેવદિવાળીએ ફોડાયેલા ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પરંતું વિકરાટ આગને પગલે પ્લાયવુડ જથ્થામાં મોટું નુકસાન થયું છે. 

4/4
image