Antilia Photos: એન્ટીલિયાના આટલા બધા માળ પરંતુ 26માં માળે જ કેમ રહે છે નીતા-મુકેશ અંબાણી? ચોંકાવનારું કારણ

રિપોર્ટ મુજબ અંબાણી પરિવાર પોતાના આ શાનદાર ઘર એન્ટીલિયાના 26માં માળે રહે છે. મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા અંબાણી તથા સાથે સાથે બાળકો પૃથ્વી અંબાણી, વેદા આકાશ અંબાણી એન્ટીલિયાના 26માં માળે રહે છે.

1/5
image

દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં જેની ગણતરી થાય છે તે એન્ટીલિયા ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીનું છે. 27 માળની આ ઈમારતમાં મુકેશ અંબાણીનો પરિવાર રહે છે જેમાં નીતા અંબાણી, અનંત અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા અંબાણી, રાધિકા મર્ચન્ટ, પૃથ્વી મર્ચન્ટ, વેદા અંબાણી સામેલ છે. જ્યારે અંબાણી પરિવાર 2012માં એન્ટીલિયામાં રહેવા માટે આવ્યો હતો ત્યારે ઘરની કિંમત અંદાજિત 15,000 કરોડ રૂપિયા કરતા વધુ છે. એન્ટીલિયા પોતાની ખાસિયતો, શાનદાર પાર્ટીઓ, સુરક્ષા અને અન્ય અનેક કારણોથી ચર્ચામાં રહે છે. 

કેમ રખાયું એન્ટીલિયા નામ?

2/5
image

એન્ટીલિયાનું નામ એટલાન્ટિક મહાસાગરમાં આવેલા આ જ નામના ફેન્ટમ આઈલેન્ડ પરથી લેવાયું છે. એન્ટીલિયા સાઉથ મુંબઈની વચ્ચોવચ આવેલું છે. જેમાં ત્રણ હેલિપેડ પણ છે અને તે મુંબઈના આકાશ અને અરબ સાગરને જુએ છે.   

શાનદાર છે ઘર

3/5
image

જો કે એન્ટીલિયાની અંદરની અનેક તસવીરો ઓનલાઈન ઉપલબ્ધ નથી પરંતુ એ જાણવા મળે છે કે તે ખુબ જ શાનદાર અને 37,000 વર્ગ મીટરમાં ફેલાયેલું છે તથા 173 મીટર ઊંચુ છે. આ ઊંચી ઈમારતમાં મલ્ટી સ્ટોરી કાર પાર્કિંગ, 9 હાઈ સ્પીડ લિફ્ટ અને સ્ટાફ માટે વિશેષ સૂટ પણ છે.   

26માં માળે જ કેમ રહે છે અંબાણી પરિવાર

4/5
image

અમારી સહયોગી વેબસાઈટ ડીએનએના રિપોર્ટ મુજબ અંબાણી પરિવાર પોતાના આ શાનદાર ઘર એન્ટીલિયાના 26માં માળે રહે છે. મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા અંબાણી તથા સાથે સાથે બાળકો પૃથ્વી અંબાણી, વેદા આકાશ અંબાણી એન્ટીલિયાના 26માં માળે રહે છે. મુકેશ અને નીતાના બીજા પુત્ર અનંત અંબાણી પણ તેમની સાથે 26માં માળે રહે છે.   

નીતા અંબાણીનો નિર્ણય?

5/5
image

ટાઈમ્સ નાઉ હિન્દીના એક સમાચાર મુજબ નીતા અંબાણીએ કથિત રીતે ઉપરના માળે રહેવાનો નિર્ણય લીધો કારણ કે તેઓ ઈચ્છતા હતા કે દરેક રૂમમાં સારી રીતે સૂરજનો પ્રકાશ અને હવા આવી શકે. એવું પણ કહેવાય છે કે એન્ટીલિયાના 26માં માળે ફક્ત નજીકના લોકોને જ જવાની મંજૂરી છે.