ગુજરાતના લખપતિ ગણેશ : 21 લાખની ચલણી નોટોથી સજાવાયો આખો પંડાલ

Ganesh Chaturthi કેતન બગડા/અમરેલી : ગુજરાતમાં ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગણપતિજીની વિવિધ પ્રકારે આરાધના અને ભક્તિ કરવામાં આવે છે. ગણપતિના પંડાલોમાં વિવિધ પ્રકારે ગણેશને શણગારીને સજાવામાં આવે છે. ત્યારે સાવરકુંડલાના સદભાવના ગ્રુપ દ્વારા લખપતિ ગણેશજીની આરાધના કરવામાં આવી રહી છે. અહીં ગપણત બાપ્પાને રૂપિયા 21 લાખની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા છે. 
 

1/8
image

ગુજરાતમાં દિન પ્રતિદિન ગણેશ આરાધનાનું મહત્વ વધી રહ્યું છે. ત્યારે સાવરકુંડલાના સદભાવના ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવણી કરી રહી છે. આ છે સદભવના ગ્રુપનો ગણેશ પંડાલ અહી દેખાઈ રહેલા વિરાટ ગણેશજી ફરતે આ રૂપિયાની દીવાલો ઉભી કરી છે. ચલણી નોટોની રૂપિયા 10 થી લઈને 500 સુધીની ચલણી નોટોથી ગણેશજીને નવાજવામાં આવ્યા છે.   

2/8
image

આ ડેકોરેશન કરવા પાછળ ગ્રૂપનો એક હેતુ છે. આ લખપતિ ગણેશજીના દર્શન કરીને ભાવિક ભક્તજનો ભાવવિભોર થઇ જાય છે. ગણેશ ભક્તિની શ્રદ્ધા અને કળિયુગમાં જેની તે અઢળક લક્ષ્મીને જોયને દર્શનાર્થીઓ ગદગદિત થઇ જાય છે. મંદીના સમયમાં ગણપતિજીને લખપતિ બનાવીને નવા રૂપ રંગ સાથે શણગાર સજેલા દર્શનાર્થીઓ પણ કહી રહ્યા છે કે ગણપતિ બન્યા લખપતિ. આજે અહીં રૂપિયા 21 લાખનો શણગાર કરવામાં આવ્યો છે.  

3/8
image

સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાને રોજે રોજ અવનવા શણગાર કરવામાં આવે છે. છેલ્લા 15વ ર્ષથી અહીં ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ લખપતિના ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમરેલી જિલ્લામાં માત્ર સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા રૂપિયાનો શણગાર કરવામાં આવે છે. 

4/8
image

સદભાવના ગ્રુપના ગણેશ પંડાલમાં લખપતિ ગણપતિના દર્શનાર્થે દર્શનાર્થીઓ ઉતાવળે પગલે હોંશે હોંશે આવી રહ્યા છે. આ લખપતિ ગણેશજીને જોઇને લોકો એક નવો જ અનુભવ કરી રહ્યો છે. અહીં 21 લાખ રૂપિયાની ચલણી નોટોથી ગણેશજી આરતી, પૂજા અને વંદના કરવામાં આવે છે. સદભાવના ગ્રુપ દ્વ્રારા છેલ્લા 15 વર્ષથી સમાજ ઉપયોગી કામ પણ આ ગણેશ ઉત્સવમાં કરવામા આવે છે.  

5/8
image

સદભાવના ગ્રુપના મંત્રી રાજુભાઇ નાગ્રેચા કહે છે કે, સાવરકુંડલામાં સેવાકીય પ્રવૃત્તિથી પ્રસિદ્ધ પામેલ સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિજીને છેલ્લા 15 વર્ષથી અલગ અલગ રીતે શણગાર કરી સમગ્ર જીલ્લાનું આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે અને આ મહોત્સવની આવકને પણ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરીને સમગ્ર સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.

6/8
image

7/8
image

8/8
image