Beach Games 2024: આઝાદ ભારતની પ્રથમ બીચ ગેમ્સનો ગુજરાતના ફેમસ બીચ પર પ્રારંભ, અદભૂત દ્રશ્યો સર્જાયા

Beach Games 2024 રજની કોટેચા/દીવ : ભારતમાં પહેલીવાર બીચ ગેમ્સનો પ્રારંભ ગુજરાતમાં કરાયો છે. દીવમાં બીચ ગેમ્સની શરૂઆત થઈ ગઈ છે.... કુલ 8 ગેમો અને 1500 થી વધુ રમતવીરો દ્વારા ખેલ કુંભ રમાશે. જેમાં 20 રાજ્યોના ખેલાડીઓ દીવ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક મંત્રીઓએ પ્લેયર્સનો ઉત્સાહ વધાર્યો છે. 
 

1/7
image

આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત દીવ ખાતે બીચમાં રમી શકાય તેવી વિવિધ રમતોત્સવનો પ્રારંભ કરાયો છે. કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં શરૂ થયો છે. ભારતભરમાંથી આવેલા ખેલાડીઓ બીચ પર વિવિધ રમતોમાં પોતાનું કૌવત દેખાડતા જોવા મળી રહ્યાં છે. 

2/7
image

ગઈકાલે સાંજે આ પ્રસંગે ખાસ આવેલા કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે ફિટ ઇન્ડિયા અંતર્ગત તમામ યુવાનોને નશાને ના કહેવાની અપીલ કરીને દીવમાં આયોજિત પ્રથમ રમતોત્સવને ખુલ્લો મુક્યો હતો.

3/7
image

સંઘ પ્રદેશ દીવના રમણીય બીચો વિશ્વના પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યા છે. ત્યારે રમતગમતના ક્ષેત્રમાં પણ દીવના સુંદર બીચો અને દરિયા કિનારો સમગ્ર વિશ્વના ખેલાડીઓ માટે ખુલ્લુ મેદાન બને તે માટે આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત બીચ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

4/7
image

ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આયોજિત થયેલા આ રમતોત્સવને કેન્દ્રીય ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે ખુલ્લો મુક્યો હતો અને અહીં આવેલા તમામ ખેલાડીઓને આવકારવાની સાથે યુવાનો રમતગમતના ક્ષેત્રમાં ખૂબ સારું પ્રદાન કરીને દેશ માટે એક નવી રાહ બતાવી શકે તેવા શક્તિશાળી બને તેમજ આવા રમત ગમતના આયોજન થકી દેશનો પ્રત્યેક ખેલાડી અન્ય પ્રાંતમાં રમતગમત ને લઈને ખૂબ ઉજવળ દેખાવ કરે તે માટે આવા આયોજન ખૂબ મહત્વના બનતા હોય છે.

5/7
image

દીવ અત્યાર સુધી પ્રવાસીઓનું સ્વર્ગ માનવામાં આવતું હતું. અહીંના સુંદર બીચો વિશ્વના કોઈપણ પ્રવાસીને દીવ સુધી ખેંચી લાવવા માટે પૂરતા છે તેને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા પ્રથમ વખત દિવ ખાતે બીચ વોલીબોલ રસ્સાખેંચની સાથે દરિયા કિનારા પર રમી શકાય તેવી રમતોનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાત કાશ્મીર સહિત દેશના અન્ય રાજ્યો માંથી આવેલા ખેલાડીઓ પોતાની રમતગમત ક્ષમતાને દીવના દરિયા કિનારા પર પ્રદર્શિત કરીને રમતગમતના ક્ષેત્રમાં વિજેતા થવા માટે સતત પ્રયત્નશીલ જોવા મળશે. 

6/7
image

કેન્દ્રીય ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે રમતોત્સવને ખુલ્લુ મુક્યા બાદ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે રમતગમત થકી સારું આરોગ્ય મેળવી શકાય છે. રમતગમત એક એવું માધ્યમ છે કે જેના થકી નશા જેવા દુર્ગુણોને દૂર કરવા માટે પ્રત્યેક વ્યક્તિને જાગૃત કરવાની સાથે સંદેશો પણ પાઠવી શકાય છે માટે દેશનો પ્રત્યેક યુવાન રમતગમત ક્ષેત્રમાં આગળ આવે અને દુર્ગુણો એવા નશાકારક પદાર્થોને દૂર રાખે તે આ રમતોત્સવની એકમાત્ર ઉપલબ્ધ હશે, તો કાશ્મીરથી આવેલા ઇમ્તિયાઝ એહમદે પણ દીવમાં આયોજિત થયેલા રમતોત્સવને ખૂબ જ ઉત્સાહ સાથે આવકાર્યો છે અને પ્રવાસન માટે અત્યાર સુધી પ્રસિદ્ધ બનેલું દીવ રમતગમતના ક્ષેત્રમાં પણ પ્રસિદ્ધિ પર પહોંચતું જોવા મળશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

7/7
image