ચોટીલામાં મા ચામુંડાના મંદિરમાં આવારા તત્ત્વનો આતંક, પૂજારીને આપી જાનથી મારી નાંખવાની ધમકી

Chotila Temple : સૌરાષ્ટ્રના જગવિખ્યાત ચોટીલા મંદિરમાં લુખ્ખા તત્ત્વોનો આતંક જોવા મળ્યો. આ મંદિરમાં આવારા તત્વો ઘૂસી આવ્યા હતા. તેઓએ મંદિરના પૂજારી સાથે પણ ગેરવર્તણૂંક કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 

1/6
image

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વિશ્વ વિખ્યાત ચામુંડા માતાજીમાં મંદીરમાં આવારા તત્વોનો આંતક જોવા મળ્યો. મંદિરમાં ઘૂસી આવેલા કેટલાક લુખ્ખા તત્ત્વોએ મંદિરના પૂજારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટનાથી મંદિરમાં પણ કાયદો અને વેવસ્થાના લીરેલીરા ઉડ્યા છે.

2/6
image

ચોટીલા ડુંગર તળેટીમાં આવેલ પૌરાણિક જગવિખ્યાત ચામુંડા માતાજીના મંદિરમાં જ આ ઘટના બની હતી. આ ઘટનાએ અન્ય ભક્તોને પણ ચોંકાવી દીધા હતા.   

3/6
image

આમ, સુરેન્દ્રનગર જિલ્લામાં આવરા તત્વોનો આંતક સામે આવ્યો છે. આ તત્વો હવે છેક મંદિર સુધી પહોંચી ગયા છે. તેઓએ મંદિરના પૂજારી સાથે ગેરવર્તન પણ કર્યુ હતું.

4/6
image

મંદિરના આગેવાનો અને પુજારીએ પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. 

5/6
image

6/6
image