Monsoon Health Tips: આ 5 આયુર્વેદિક હર્બ્સને ડાયટમાં કરો સામેલ, આખું ચોમાસું બીમારી આસપાસ પણ નહીં ફરકે

Monsoon Health Tips: ચોમાસા દરમિયાન બીમારીઓનું જોખમ વધી જાય છે. આ ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. જેના કારણે બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન ઝડપથી થઈ શકે છે. આ સિવાય ચોમાસા દરમિયાન ડાયેરીયા, ડેન્ગ્યુ, મેલેરીયા, ટાઈફોડ, સ્કીન ઇનફેકશન જેવી સમસ્યાનું જોખમ પણ વધી જાય છે. જો આ બધી જ સમસ્યાઓથી બચીને રહેવું હોય અને ચોમાસામાં પણ સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવો જોઈએ. 

તુલસી 

1/6
image

આયુર્વેદમાં તુલસીને ઔષધીય ગુણથી ભરપૂર કહેવામાં આવી છે. તુલસી એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ વાયરલ અને એન્ટી ફંગલ ગુણથી ભરપૂર હોય છે. તુલસી ચોમાસામાં થતા સંક્રમણથી બચાવે છે. નિયમિત રીતે તેનું સેવન કરવું હોય તો તુલસીના પાનની ચા કે ઉકાળો બનાવીને પી શકાય છે. 

ગિલોઇ 

2/6
image

ગિલોય ઈમ્યુનિટી બુસ્ટર છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને બીમારીઓથી બચાવે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરદી, તાવ અને ફ્લુના લક્ષણોને ઘટાડે છે. વરસાદના વાતાવરણમાં રોજ ગિલોઇનો ઉકાળો પી શકાય છે. 

આદુ 

3/6
image

આદુમાં એન્ટી બેકટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટિ વાયરલ ગુણ હોય છે. બીમારીઓ અને સંક્રમણથી બચાવ કરવામાં મદદ કરે છે. ચોમાસા દરમિયાન રોજ આદુને ઉપયોગમાં લેવું જોઈએ. 

હળદર 

4/6
image

ઔષધીય ગુણથી ભરપૂર હળદર પણ ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. નિયમિત રીતે હળદરનું સેવન કરવાથી શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને શરીરની સોજાની સમસ્યાથી રાહત મળે છે.   

મુલેઠી 

5/6
image

વરસાદી વાતાવરણમાં ઉધરસ અને શરદી વારંવાર થઈ જાય છે આ તકલીફથી મુક્તિ મેળવવી હોય તો મુલેઠીનું સેવન કરવું જોઈએ. મુલેઠી વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે. મુલેઠીની ચા કે ઉકાળો બનાવીને પી શકાય છે.

6/6
image