Loan: જરૂર પડે ત્યારે લોકો પાસેથી પૈસા ઉધાર લેવા જોઇએ કે પછી બેંક લોન? જાણી લો

Bank Loan: આજના આર્થિક સમયમાં લોકોને પૈસાની જરૂર છે. પરંતુ કેટલીકવાર લોકો પાસેપૈસા હોતા નથી તેથી તેમને લોન લેવી પડે છે. આ સિવાય ઘણી વખત લોકો સંબંધીઓ પાસેથી પણ પૈસા ઉધાર માંગે છે. એવામાં, જાણો કે લોકો પાસેથી પૈસા ઉધાર લેવા સારા છે કે બેંકમાંથી લોન લેવી વધુ સારી?

1/5
image

Loan Apply: લોકોને સમયાંતરે પૈસાની જરૂર પડે છે. લોકો પૈસા દ્વારા તેમની જરૂરિયાતો પૂરી કરે છે. વળી, કેટલીકવાર એવી સ્થિતિ સર્જાય છે કે જરૂરિયાતના સમયે લોકો પાસે પૈસા નથી હોતા અને તેમને ઉધાર લેવો પડે છે. એવામાં લોકોએ સમજવું જોઈએ કે શું જરૂર હોય ત્યારે લોકો પાસેથી પૈસા ઉછીના લેવા યોગ્ય છે કે પછી બેંકમાંથી લોન લેવી વધુ સારી છે. ચાલો તેના વિશે જાણીએ...    

2/5
image

જ્યારે લોકોને પૈસાની જરૂર હોય ત્યારે લોકોએ ધ્યાન આપવું જોઈએ કે તેમને પૈસાની જરૂર કેમ છે? જો લોકોને મકાન ખરીદવું હોય, વાહન ખરીદવું હોય, શોપિંગ કરવા જવું હોય, બિઝનેસ કરવો હોય, લગ્ન કરવા હોય કે આવી અન્ય કોઈ જરૂરિયાત માટે પૈસાની જરૂર હોય તો લોકોએ કોઈની પાસેથી ઉધાર લેવાને બદલે બેંક લોનને પ્રાથમિકતા આપવી જોઈએ.

3/5
image

જોકે જ્યારે તમે બેંકમાંથી લોન લો છો, ત્યારે તેને ચૂકવવા માટે માસિક EMI કરવામાં આવે છે. જેમાં કેટલોક હિસ્સો વ્યાજનો છે અને કેટલોક ભાગ મુદ્દલની રકમનો છે. એવામાં, જ્યારે તમે દર મહિને બેંકની EMI ચૂકવો છો, ત્યારે તે તમારા ક્રેડિટ સ્કોરને મજબૂત બનાવે છે અને ભવિષ્યમાં ફરીથી લોન લેવાનો માર્ગ પણ ખોલે છે. આ સાથે જ બેંકમાંથી લોન લેવાનો વ્યાજ દર પણ ઘણો સસ્તો છે. જ્યારે લોકો પૈસાની લોન માંગે છે, ત્યારે તેમને વધુ વ્યાજ ચૂકવવું પડે છે અને જો પૈસા એકસાથે લીધા છે, તો લોન આપનાર વ્યક્તિ પણ એકસાથે પૈસા ચૂકવવાની શરત મૂકી શકે છે. જેના કારણે વ્યાજ પણ વધુ વધી શકે છે.

4/5
image

આ સાથે, જ્યારે તમે માસિક EMI ચૂકવો છો, ત્યારે તમે બજેટમાં રહીને તમારા ખર્ચની યોજના બનાવો છો, જેના કારણે તમે બિનજરૂરી ખર્ચથી પણ બચો છો. આ ઉપરાંત, લોકો પાસેથી ઉધાર માંગીને તેમના એહસાનથી પણ બેંક લોન દ્વારા બચી શકાય છે. તો બીજી તરફ બેંક પણ ત્યારે જ લોન આપે છે જ્યારે લોન લેનાર વ્યક્તિની પ્રોફાઇલ બેંકની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. એવામાં લોકોનું અહેસાન ન લેવાની મનમાં ગાંઠ વાળી લો. 

5/5
image

આ ઉપરાંત જ્યારે તમે ક્યારે ઇમરજન્સી સ્થિતિનો સામનો કરી રહ્યા છો લોકો પાસેથી ઉધાર પૈસા એટલા માટે લઇ શકાય છે જેથી જરૂરિયાતના સમયે પૈસા મળી જાય કારણ કે ઘણીવાર બેંકમાંથી પર્સનલ લોનોના પૈસા મળવામાં રાહ જોવી પડી શકે છે. એવામાં ઇમરજન્સી સ્થિતિને ધ્યાનમાં રાખતા તાત્કાલિક પૈસા એકઠા કરવા માટે ફક્ત લોકો પાસેથી પૈસા ઉધાર લો. એવામાં પોતાની જરૂરિયાતને પ્રાથમિકતા આપતાં આ વાતની પસંદગી કરો કે બેંક  પાસેથી પૈસા લેવા છે કે પછી ઉધાર પૈસા લેવા છે.