Kishore Kumar ની પત્નીએ મિથુન માટે પતિને છોડ્યો, યોગિતા સાથે લગ્ન બાદ મિથુન પાછો શ્રીદેવીના પ્રેમમાં પડ્યો, એ બન્નેના પણ થયા લગ્ન!

મિથુનના પ્રેમમાં પાગલ થયેલી કિશોરકુમારની પત્ની યોગિતા બાલીએ પોતાના પતિને તલાક આપી દીધાં. પછી મિથુન સાથે લગ્ન કર્યાં. જોકે, ત્યાર પછી મિથુનને શ્રીદેવી સાથે પ્રેમ થઈ ગયો અને એ બન્ને એ પણ લગ્ન કરી લીધાં.  પછી પાછું શું થયું તો શ્રીદેવીનો બોનીકપુર સાથે લગ્ન કરવા પડ્યાં...બાપ રે...આ પ્રેમકહાની તો ગજબની છે...

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડમાં ડિસ્કો ડાંસરના નામે જાણીતા સુપરસ્ટાર અને ભાજપના નેતા બનીને બંગાળની રેલીઓમાં તરખાટ મચાવતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એટલેકે, મિથુનદાની કહાની કોઈ ફિલ્મથી કમ નથી. તેમના રંગીન મિઝાઝને કારણે તે વાંરવાર પ્રેમમાં પડતા અને તેમને ગમે તે સાથે પ્રેમ થઈ જતો. 'અપના હૈ યે નારા, હર ચહેરા હૈ પ્યારા, જો દિલમેં વો મુંહ પે, હમ તો હૈ આવારા...' મિથુન ચક્રવર્તીનું જીવન તેની જ ફિલ્મના આ ગીતની માફક એકદમ રંગીન રહ્યું છે. ફિલ્મોની સાથો-સાથ મિથુન પોતાના રંગીન મિઝાઝ અને પોતાનો લગ્ન અને લવ અફેર્સને કારણે હંમેશા ચર્ચામાં રહ્યો. મિથુનના પ્રેમમાં પાગલ થયેલી કિશોરકુમારની પત્ની યોગિતા બાલીએ પોતાના પતિને તલાક આપી દીધાં. પછી મિથુન સાથે લગ્ન કર્યાં. જોકે, પછી યોગિતાને પણ સામે પ્રેમમાં દગો જ મળ્યો. લગ્ન કરેલાં હોવા છતાં મિથુનને શ્રીદેવી સાથે પ્રેમ થઈ ગયો અને એ બન્ને એ પણ લગ્ન કરી લીધાં. પછી પાછું શું થયું તો શ્રીદેવીનો બોનીકપુર સાથે લગ્ન કરવા પડ્યાં...બાપ રે...આ પ્રેમકહાની તો ગજબની છે...


 

કિશોર કુમારની પત્ની સાથે થઈ ગયો મિથુનને પ્રેમ

1/5
image

મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત 1976માં આવેલી મૃગ્યા ફિલ્મથી કરી હતી. પહેલી જ ફિલ્મમાં શાનદાર અભિનય માટે મિથુનને સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકેનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. મિથુને જ્યારે પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત કરી તે સમયે જ તેમને એક પરિણીત અભિનેત્રી સાથે પ્રેમ થઈ ગયો. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ યોગિતા બાલીની.  

કિશોર કુમારની ત્રીજી પત્ની હતી યોગિતા બાલી

2/5
image

જ્યારે યોગિતા મિથુનની નજીક આવી તે સમયે કે જાણીતા ગાયક કિશોર કુમારની પત્ની હતી. યોગિતા કિશોર કુમારની ત્રીજી પત્ની હતી. પરિણીત હોવા છતાં યોગિતા મિથુન પર ફિદા થઈ ગઈ. પછી શું લગ્નના માત્ર બે જ વર્ષમાં યોગિતાએ મિથુન માટે કિશોર કુમારને તલાક આપી દીધાં.

કિશોર કુમાર સાથે તલાક લઈને યોગિતાએ કર્યા મિથુન સાથે લગ્ન

3/5
image

તલાક પછી સમાજની પરવાહ કર્યા વિના યોગિતાએ મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કરી લીધાં. યોગિતાના આ નિર્ણય બાદ કિશોર કુમાર અને મિથુન વચ્ચે તકરાર શરૂ થઈ ગઈ. કિશોર કુમારે ત્યાર પછી મિથુન માટે કોઈ ગીત ન ગાયું. જોકે, મિથુન પછી હંમેશા યોગિતાની સાથે રહ્યો.

પરિણીત હોવા છતાં શ્રીદેવના પ્રેમમાં પડ્યો મિથુન

4/5
image

યોગિતા સાથે લગ્ન કર્યા બાદ રંગીન મિઝાઝના મિથુનને ફરી એકવાર પ્રેમ થઈ ગયો. આ વખતે મિથુન તે સમયની સુપરહીટ અભિનેત્રી શ્રીદેવીના પ્રેમમાં પડ્યો. 80ના દશકમાં મિથુન અને શ્રીદેવી પોતાના ફિલ્મી કરિઅરની ઉંચાઈઓ સર કરી રહ્યાં હતાં. ફિલ્મ ગુરુ દરમિયાન આ બન્નેની પહેલી મુલાકાત થઈ હતી. તે સમયે પરિણીત હોવા છતાં પણ મિથુન શ્રીદેવીને પોતાનું દિલ દઈ બેઠાં.  

મિથુનની બે પત્નીઓ

5/5
image

કેટલાંક મીડિયા રિપોર્ટસની માનીએ તો મિથુન અને શ્રીદેવીએ તે સમયે છુપાઈને મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં. જોકે, મિથુનની પત્ની યોગિતા બાલીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે મોટો બખેડો થયો. આ વાતની જાણ થતાંની સાથે જ મિથુનની પત્ની યોગિતા બાલીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનાથી મિથુન એકદમ ડરી ગયો. અને ત્યાર પછી મિથુને જાતે જ શ્રીદેવીથી અંતર બનાવી લીધું. શ્રીદેવી અને મિથુને ક્યારે પોતાના સંબંધો અને લગ્નને લઈને જાહેરમાં કઈ નથી કહ્યું. જોકે, ત્યાર પછી શ્રીદેવીએ બોનીકપુર સાથે સાતફેરા લઈ લીધાં. જોકે, ગૂગલમાં સર્ચ કરવા પર મિથુનની બે પત્નીઓના નામ સામે આવે છે જેમાં એક નામ યોગિતા બાલીનું છે તો બીજું નામ શ્રીદેવીનું છે.