Navratri 2023: નવરાત્રી પર 30 વર્ષ પછી ગ્રહોનો મહાસંયોગ, મેષ સહિત 5 રાશિના જાતક થશે માલામાલ

Navratri 2023: જ્યોતિષ ગણના અનુસાર આ વર્ષે નવરાત્રીની શરૂઆત બુધાદિત્ય રાજયોગ સાથે થઈ રહી છે અને સાથે જ ભદ્ર રાજયોગ અને શશ રાજયોગ રચાઈ રહ્યો છે. આ વર્ષે નવરાત્રીમાં સૂર્ય અને બુધનો ખાસ સંયોગ બની રહ્યો છે. સાથે જ શનિ 30 વર્ષ પછી કુંભમાં બિરાજમાન છે. આ શુભ યોગના કારણે પાંચ રાશિના લોકોનું ભાગ્ય ચમચી જવાનું છે. આ રાશિના લોકોને કારકિર્દી અને રોજગારમાં પ્રગતિની તકો મળશે. તેમને વાહન અને મકાનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ નવરાત્રી દરમિયાન કઈ પાંચ રાશિના લોકોને કેવા લાભ પ્રાપ્ત થવાના છે.

મેષ રાશિ

1/5
image

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકો માટે બોધાદિત્ય યોગ મંગળકારી સાબિત થશે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને મકાન અને વાહન સંબંધિત સુખ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને નોકરીમાં પણ ઉપરી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. પારિવારિક જીવન ખુશ હાલ રહેશે.

વૃષભ રાશિ

2/5
image

વૃષભ રાશિના લોકો માટે નવરાત્રી રહેવાની છે. તેમને બુધાદિત્ય યોગ ના કારણે નોકરીમાં પ્રગતિ પ્રાપ્ત થશે. અટકેલું ધન પરત મળશે. કાર્ય સ્થળ પર નથી જવાબદારી મળી શકે છે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. ઘર પરિવારમાં ખુશાલી રહેશે.

કર્ક રાશિ

3/5
image

બુધાદિત્ય યોગ કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થશે. નવરાત્રી દરમિયાન મા દુર્ગાની કૃપા આ રાશિના લોકો પર રહેશે. આર્થિક સ્થિતિ શુદ્ધ થશે અને અટકેલા કામ પૂર્ણ થવા લાગશે. વિદેશ સંબંધિત શુભ સમાચાર મળી શકે છે.

તુલા રાશિ

4/5
image

નવરાત્રી દરમિયાન તુલા રાશિના લોકોને પણ યોગ ખૂબ લાભ કરાવશે. નોકરીમાં પરિવર્તન આવી શકે છે જે શુભ સાબિત થશે. દાંપત્ય જીવનમાં ખુશાલી વધશે. આવક ના નવા સ્ત્રોત બનશે. પવિત્ર સંપત્તિના વિવાદથી છુટકારો મળશે.

મકર રાશિ

5/5
image

મકર રાશિના લોકો માટે બુધાદિત્ય યોગ વરદાનથી કમ નથી. આ વર્ષે નવરાત્રી દરમિયાન ખુશખબરી મળી શકે છે. કાર્ય સ્થળ પર કાર્યોમાં પ્રગતિ થશે. બિઝનેસમાં નફો થશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન અને પગાર વધારવા નો લાભ મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)