Pics : અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલા દાહોદના આ શિવ મંદિરમાં કરાયો અનોખો પ્રયોગ

દાહોદમાં 10મી સદીનું અત્યંત પ્રાચીન શિવ મંદિર આવેલું છે. જે દાહોદની શાન કહેવાય છે. પરંતુ આ જ શાન સમુ મંદિર અસામાજિક ત્ત્તવનો અડ્ડો બની ગયો છે. રાત પડતા જ આ જગ્યા પર ગુંડા ત્ત્તવો અડીંગો જમાવીને બેસી જાય છે. ત્યારે આ સ્થળને ફરીથી પ્રકાશ લાવવા માટે દ્રષ્ટિકોણ નામના ફોટોગ્રાફી ગ્રૂપ દ્વારા અદભૂત પ્રયાસ કરાયો હતો. 
 

1/7
image

દ્રષ્ટિકોણ ગ્રૂપ દ્વારા આ મંદિરમાં રાતના અંધારામાં એક ખાસ ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરાયું હતું. ‘Game of Lights’ સબ્જેક્ટ હેઠળ 6 ઓક્ટોબરના રોજ અહીં એક વર્કશોપ યોજાયો હતો. જેમાં ફોટોગ્રાફીને અલગ લેવલ સુધી લઈ જવા માટેની વિવિધ ટેક્નિક્સનો ઉપયોગ કેવી રીતે થાય એ સમજાવવામાં આવ્યું. 

2/7
image

આ ઉપરાંત આ વર્કશોપનો મુખ્ય હેતુ મંદિરને ફરીથી વેગવંતુ કરવાનો હતો. આવી એક્ટિવિટી સતત થતી રહે, તો અસામાજિક તત્વો મંદિરથી દૂર રહે તે એકમાત્ર હેતુ આ વર્કશોપનો હતો. 

3/7
image

દ્રષ્ટિકોણ એ 2006થી દાહોદ/પંચમહાલ ખાતે ફોટોગ્રાફી માટે કાર્યરત નોન-પ્રોફિટ લર્નિંગ પ્લેટફોર્મ પૂરુ પાડતું ગ્રૂપ છે. દ્રષ્ટિકોણના પ્રતીક જૈન અને સમીર ચાંપાનેરીયાના માર્ગદર્શનમાં આ વર્કશોપ યોજાયો હતો. નાઈટ ફોટોગ્રાફી માટે લાઈટ પોલ્યુશન રહિત જગ્યા જોઇએ. જેથી દાહોદથી 12 કિમી દૂર આવેલા આ શિવ મંદિરને પસંદ કરાયું હતું. જેથી એનું મહત્વ પણ વધે.   

4/7
image

આ વર્કશોપમાં નાઈટ ફોટોગ્રાફી માટે લોંગ એક્સપોઝર ટેકનિકનો ઉપયોગ કરાયો હતો. જે કેમેરાના શટરને ખોલ-બંધ કરીને ક્લિક્સ કરવામાં આવે છે. ઈતિહાસને પરિપ્રેક્ષ્યમાં રાખીને લેવામાં આવેલી આ તસવીરો અદભૂત છે. 

5/7
image

દાહોદથી 11 કિલોમીટર દૂર આવેલ બાવકા ગામમાં આ પ્રાચીન શિવ મંદિર આવેલું છે. આ મંદિર સોલંકી યુગની યાદ અપાવે છે. આ મંદિર 10મી સદીમાં બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. જે હાલ પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત કરાયું છે. આ મંદિરને દ્વિઅંગી ગણાય છે. આ મંદિરની ચારે બાજુ કંડારવામાં આવેલ નૃત્યમુદ્રાવાળી અપ્સરાઓ અપ્સરાઓની અંગભંગીનીઓ મનમોહક છે.   

6/7
image

આ મંદિર ગુજરાતના ખજૂરાહો તરીકે પણ પ્રખ્યાત છે. સ્થાનિક દંતકથા અનુસાર આ મંદિર એક દેવદાસીએ એક જ રાતમાં બાંધ્યું હતું. ઈતિહાસમાં ઉલ્લેખ છે કે, મહંમદ ગઝનીએ આ મંદિરને પણ નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાય વર્ષો સુધી આ મંદિર ઉપેક્ષિત રહ્યું હતું અને તેની ઘણી કલાકૃતિઓની ચોરી થઈ ગઈ હતી. આ મંદિર રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરાયું છે. પુરાતત્વ વિભાગ દ્વારા વર્ષ 2009માં તેને રિનોવેટ કરાયું હતું. (તસવીર સાભાર વીકિપીડિયા)  

7/7
image

ગુજરાતમાં આવા અનેક હેરિટેજ સ્થળો છે, જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી રહે છે, તેથી જો આવી એક્ટિવિટી કરીને અવેરનેસ લાવવામાં આવે તો અસામાજિક ત્તત્વોમાંથી મુક્તિ મેળવી શકાય છે.