ખબર છે!!! પ્રાણીઓને પણ થઇ શકે છે આજીવન કેદ, માનવભક્ષી દીપડાને દેખો ત્યાં ઠાર મારવાના આદેશ

રાજકીય નેતાઓ અને સ્થાનિકોની રજુઆતના પગલે સરકારે સ્પેશ્યલ કેસમાં દેખો ત્યાં ઠાર મારવાના આદેશ આપ્યા છે. છેલ્લા ચાર દિવસથી માનવભક્ષી દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી ટીમો કામે લાગી છે  પણ કોઇ પરિણામ મળતું નથી આવો જાણીએ. 

ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાતમાં દીપડાનો આતંક દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. ગીરસોમનાથ, જુનાગઢ, અરવલ્લી સહિતનાં અનેક મોટા જંગલ ધરાવતા જિલ્લાઓમાં દીપડાઓનો આતંક વધ્યો છે. ગુજરાતના જંગલ આચ્છાદિત વિસ્તારોમાં દીપડાને કારણે આસપાસનાં ગામોના લોકો જીવ હથેળીમાં લઇને ફરતા હોય તેવો અનુભવ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દીપડો એક એવું જંગલી પ્રાણી છે જે ખુબ જ ચપળ અને ડરપોક પ્રકારનું હોય છે. તે અકારણ પણ માનવ પર હુમલો કરે છે. જ્યારે સિંહની બાબતે તે ક્યારે પણ માણસ પર હુમલો નથી કરતો. ત્યારે રાજકીય નેતાઓ અને સ્થાનિકોની રજુઆતના પગલે સરકારે સ્પેશ્યલ કેસમાં દેખો ત્યાં ઠાર મારવાના આદેશ આપ્યા છે. છેલ્લા ચાર દિવસથી માનવભક્ષી દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી ટીમો કામે લાગી છે  પણ કોઇ પરિણામ મળતું નથી આવો જાણીએ. 

શું છે દીપડા માટેને કાયદો

1/6
image

ન માત્ર ગુજરાત પણ સમગ્ર દેશના મોટા ભાગના રાજ્યોમાં દીપડાની સંખ્યા જોવા મળે છે. દિવસે દિવસે તેમની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે અને જંગલ વિસ્તા ઘટતાં ખોરાકની શોધમાં તેઓ બહાર નીકળી રહ્યા છે. હાલમાં ઘટેલી ઘટનાઓનો પગલે માનવભક્ષી દીપડાને દેખો ત્યાં ઠાર મારવાના આદેશ છે, પણ જાણીને નવાઇ લાગશ કે દીપડો કાયદાથી રક્ષીત પ્રાણી છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં દીપડો શીડ્યુલ 1 માં આવે જે ને મારી શકાતો નથી.

કઇ રીતે સાબીત થાય કે દીપડો માનવ ભક્ષી છે

2/6
image

દીપડો માનવ ભક્ષી હોવાનું સાબિત કરવું અઘરુ છે. કે મ કે જો કોઇ માણસ પર દીપડાએ હુમલા કરી તેનુ માંસ ખાધુ હોય અને તે ચારથી પાંચ દિવસમાં પકડાય તો દીપડાના મળ પરથી તે સાબિત થાય. પરંતુ જો દીપડાએ માનવ માંસ ખાદ્યા બાદ કોઇ બીજો શિકાર કર્યો હોય તો સાબિત કરવું અધરૂ પડે છે. 

માનવ ભક્ષી દીપડો પકડાય તો શુ કાર્યવાહી કરવામાં આવે

3/6
image

જો કોઇ દીપડ઼ો પકડાય અને તે માનવભક્ષી સાબિત થાય તો તેને સરકાર દ્વારા તૈયાર કરાયેલા રેસક્યુ સેન્ટર ખાતે આજીવન રાખવામાં આવે છે તેઓને માનવથી દુર રખાય છે.

શું છે દીપડાની પ્રકૃતિ શા માટે માણસ પર કરે છે હુમલો અને શિકાર

4/6
image

દીપડો લુચ્ચું અને હોશીયાર પ્રાણી છે માત્ર 3 ફુટ ઉંચા ઘાસમાં છુપાઇ શકે છે મરઘીથી લઇ તમામ પ્રકારનો શિકાર કરે છે. મનુષ્ય તેના માટે સૌથી સોફ્ટ ટાર્ગેટ છે.

ખેડૂતો અને અન્ય નાગરીકો એ દીપડાની બચવા શું કરવું

5/6
image

દીપડાથી બચવાના આસાન ઉપાય છે જે લોકો ખેતર કે વાડીમાં રહેતા હોય તે 4*6 નુ લોખંડનું પાંજરુ બનાવી તેમાં રાત્રી રોકાણ કરી શકે.

પ્રાણીઓને પણ થાય છે આજીવન કેદ

6/6
image

અમદાવાદ ઝુમાં પણ કેટલાક પ્રાણી છે જેમને આજીવન કેદ કરવામાં આવ્યા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં માનવીઓ પર હુમલા કરનાર 6 વાંદરાઓએ અહીં કેદ કરાયા છે.