આ પાટીદાર પરિવારના ઘરમાં થયો ચમત્કાર! ફ્રિજમાં પ્રગટ થયું શિવલિંગ, દર્શન માટે ભક્તોનું ઘોડાપુર

મિતેશ માલી/પાદરા: હાલ શ્રાવણનો અધિકમાસ ચાલી રહ્યો છે. ત્યારે દેશભરમાં શિવ ભક્તો ભગવાન શિવની આરાધના કરતા હોય છે, ત્યારે જંબુસર તાલુકામાં ઘનશ્યામ પટેલના ઘરે શિવજીની પ્રતિમા ફ્રિજમાં પ્રગટ થઈ હોય તેવી વાત વાયુ વેગે પ્રસરી જતા ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.
 

1/3
image

ઘનશ્યામ પટેલના જણાવ્યા અનુસાર તેઓ વહેલી સવારે પૂજા પાઠ કરી રસોડામાં ફ્રિજ ખોલ્યું હતું. ત્યારે તેઓને અમર નાથ ગુફા જેવો આભાસ ફ્રિજમાં થયો હતો. ત્યારબાદ પરિવારને જાણ કરતા ત્યાં પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા, જ્યાં ફ્રિજમાં શિવલિંગ જેવો આકાર દેખા દેતા તેઓ અમરનાથની જેમ તૈયાર થયેલ આ શિવલિંગ માની રહ્યા છે.

2/3
image

સમગ્ર ઘટનાને પગલે સમગ્ર પંથકમાં આ વાત પ્રસરી જતા વહેલી સવારથી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, ત્યારે પરિવાર સહિત ભક્તો દ્વારા આરતી સહિત પૂજા પાઠ તેમજ સેવા શરૂ કરી હતી. ત્યારે ZEE 24 કલાક દ્વારા સમગ્ર ઘટનાને લઇ ભક્તો સહિત પરિવાર સાથે ખાસ વાતચીત કરી હતી. 

3/3
image