Phtoos : આસામની એક ગાયનુ દૂધ લેવા રોજ લાગે છે લાંબી લાઈન

આસામના મુસ્લિમ વિસ્તારના બરપેટાના કલગછિયાના ખીલ્લી ગામમાં ફજર અલી નામના શખ્સનું ઘર આવેલું છે. ફજર અલીના ઘરમાં આવેલી ગાયને જોવા અને તેનું દૂધ પૂવા માટે ભક્તોની લાંબી લાઈન લાગે છે. આ ગાય રોજ 13 લીટર દૂધ આપે છે. અત્યાર સુધી આ ગાયને એકપણ વાછરડુ જન્મ્યુ નથી, તેમ છતાં ગાય 13 લીટર દૂધ આપે છે.

નવી દિલ્હી :આસામના મુસ્લિમ વિસ્તારના બરપેટાના કલગછિયાના ખીલ્લી ગામમાં ફજર અલી નામના શખ્સનું ઘર આવેલું છે. ફજર અલીના ઘરમાં આવેલી ગાયને જોવા અને તેનું દૂધ પૂવા માટે ભક્તોની લાંબી લાઈન લાગે છે. આ ગાય રોજ 13 લીટર દૂધ આપે છે. અત્યાર સુધી આ ગાયને એકપણ વાછરડુ જન્મ્યુ નથી, તેમ છતાં ગાય 13 લીટર દૂધ આપે છે.

7 મહિનાની ઉંમર

1/5
image

આ ગાય માત્ર 7 મહિનાની હતી, ત્યારે જ અઢી લીટર દૂધ આપતી હતી. ગાયના શરીરમાંથી બહ જ બહુ જ સારી સુગંધ આવે છે. લોકોનું માનવુ છે કે, જે તે ગૌ માતાનો અવતાર છે. આ ગાયનું દૂધ પીવાથી પેટની બીમારી, પેટનુ દર્દ, માથાનો દુખાવો, પેરેલાઈસિસ અને અન્ય રોગ દૂર થાય છે. આ ગાયનું દૂધ પીવાથી મનની ઈચ્છા પૂરી થાય છે. સ્થાનિક લોકો કહે છે કે, આ કોઈ સાધારણ ગાય નથી.

વાછરડાના જન્મ વગર આપે છે 13 લીટર દૂધ

2/5
image

ગાયના માલિક ફજર અલીનું કહેવું છે કે, આ ગાય વાછરડાના જન્મ વગર જ રોજ 13 લીટર દૂધ આપે છે અને 7 મહિનાની ઉંમરથી દૂધ આપવાની શરૂઆત કરી હતી. મેં આ ગાય વેચવા માટે 5 લાખનો ભાવ લગાવ્યો હતો. પણ તેના બાદ ગાયે ખાવા-પીવાનું છોડી દીધું હતું. જેથી બાદમાં મે તેને વેચવાનો વિચાર છોડી દીધો. રોજ હજારો ભક્તો ગાયનું દૂધ પીવા આવે છે. દૂધ પીવાથી તેમની અનેક બીમારી દૂર થઈ રહી છે. 

દૂધ પીવાથી બીમારી દૂર થાય છે

3/5
image

હિન્દુ ભક્તોનું કહેવુ છે કે, આ ગાય ચમત્કારિક હોવાથી અમે તેનુ દૂધ પીવા આવ્યા છીએ.

મહિલાનું કમર દર્દ સારુ થયું

4/5
image

એક મુસ્લિમ મહિલાએ કહ્યું કે, આ ગાયનું દૂધ રીવાથ મારા કમરનો દુખાવો એક ઝટકામાં ગાયબ થઈ ગયો. 

અનેક લોકોની બીમારી દૂર થઈ

5/5
image

અહીં આવેલા અનેક લોકોએ કહ્યું કે, અમારી બીમારીઓ ગાયનું દૂધ પીવાથી સારી થઈ ગઈ. તો એક વ્યક્તિએ તેનુ કેન્સર આ ગાયના દૂધથી મટી ગયું તેવું તેણે કહ્યું. (રિપોર્ટ - શરીફુદ્દીન અહેમદ, ગુવાહાટી) 

 

रिपोर्ट बाय- शरीफुद्दीन अहमद, गुवाहाटी