પિતૃ પક્ષમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, આ જાતકોને થશે લાભ, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

વૈદિક જ્યોતિષ અનુસાર પિતૃ પક્ષમાં 2 ગ્રહણ લાગવાના છે. આ ગ્રહણને કારણે કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે. તમે પણ જાણો ગ્રહણથી કયાં જાતકોને લાભ થશે. 
 

પિતૃ પક્ષમાં બે ગ્રહણ

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર સમય-સમય પર ગ્રહણ લાગે છે. જેનો પ્રભાવ માનવ-જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે પિતૃ પક્ષમાં આ વર્ષે 2 ગ્રહણ પડી રહ્યાં છે, જેમાં સૌથી પહેલા 17 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. સાથે પિતૃ પક્ષના છેલ્લા દિવસે 2 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ લાગવાનું છે. એટલે કે પિતૃ પક્ષમાં બે ગ્રહણ લાગવાના છે,. જેનાથી કેટલાક જાતકોને લાબ થઈ શકે છે. સાથે આ સમયે અચાનક ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

વૃષભ રાશિ

2/5
image

બંને ગ્રહણ વૃષભ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને સમય-સમય પર આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન ઘરના કામોમાં વ્યસ્તતા બાદ પણ તમે પરિવાર સાથે સમય પસાર કરશો. તમારા માટે શુભ સમાચાર આવશે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આ દરમિયાન વેપારીઓને ધનલાભ થઈ શકે છે. સાથે કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે.  

તુલા રાશિ

3/5
image

તમારા માટે બંને ગ્રહણ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ સમયમાં તમને કામ-કારોબારમાં પ્રગતિ મળી શકે છે. તો નોકરી વિશે કોઈ શુભ સૂચના મળી શકે છે. તમને આ મહિને અચલ સંપત્તિ અને જમીનથી લાભ થશે. ઓફિસમાં સહયોગીઓ તમારી મદદ કરશે. સાથે આ દરમિયાન તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. આ સમયે તમારી વાણીમાં પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. આ મહિને તમારી જે યોજનાઓ ચાલી રહી છે તે પૂરી થશે. આર્થિક રૂપે ચિંતા રહેશે નહીં. સાથે આ દરમિયાન પરીણિત લોકોનું જીવન શાનદાર રહેશે.   

ધન રાશિ

4/5
image

ધન રાશિના જાતકો માટે બંને ગ્રહણ લાભદાયી રહેશે. આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો જોવા મળી શકે છે. આ સમયે આવકના નવા સોર્સ બની શકે છે. સાથે કરિયરમાં ઘણા શુભ અવસર મળવાના છે. આ સમયે તમને ભાગ્યનો સાથ પણ મળશે. આ સમયમાં તમને મકાન કે વાહન સુખ મળી શકે છે. તમને કરિયરમાં તમારી સ્કિલ્સની મદદથી પ્રમોશન પણ મળી શકે છે. આ સમયે તમને માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.