વાયરલ ફ્લૂ અને કોવિડના લક્ષણોથી રાહત આપશે આ 6 દેશી ઉપાય

Home Remedies For Viral Flu: ફરી એકવાર સીઝનલ ફ્લુ, કોવિડ 19 અને શ્વાસ સંબંધિત બીમારીઓનો પ્રકોપ વધી રહ્યો છે. વર્તમાન સમયમાં બદલતા વાતાવરણના કારણે મોટી સંખ્યામાં લોકોને ઉધરસ, શરદી, ગળામાં તકલીફ, નાકમાંથી પાણી નીકળવું, નાક બંધ થઈ જવું જેવા લક્ષણો જોવા મળે છે.  આવા કોઈપણ પ્રકારના લક્ષણો જણાય તો તમે કેટલાક ઘરેલુ ઉપચાર કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આજે તમને એવા છ દેશી ઉપચાર જણાવીએ જેની મદદથી તમને ઉધરસ, શરદી અને ગળાની તકલીફમાં તુરંત રાહત મળશે. 

આદુ

1/6
image

આદુ એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ઉધરસ અને કફ ને દૂર કરવા માટે એક ઇંચ આદુના ટુકડાને એક ગ્લાસ પાણીમાં ખમણીને ઉમેરો અને દિવસ દરમિયાન આ પાણી ધીરે ધીરે પીવું. 

કાળા મરી

2/6
image

કાળા મરીમાં પણ એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે કફ દૂર કરવામાં મદદ કરે છે. કફ અને શરદી ની તકલીફ હોય તો એક ચમચી કાળા મરીના પાવડરમાં એક ચમચી મધ મિક્સ કરીને તેને એક કપ પાણીમાં ઉકાળો અને તેને ચા ની જેમ ગરમ ગરમ પીવો.

મધ

3/6
image

મધ એક પ્રાકૃતિક દવા છે જે ઉધરસ અને શ્વાસ સંબંધિત સમસ્યાના લક્ષણોને ઓછા કરે છે. આદુના રસમાં મધ ઉમેરીને પીવાથી ગળામાં થતી તકલીફ દૂર થાય છે.

હળદર

4/6
image

હળદરમાં એન્ટી ઇન્ફીનેમેટ્રી ગુણ હોય છે. તેનું સેવન કરવા માટે એક કપ દૂધને ગરમ કરી તેમાં થોડો હળદર પાવડર ઉમેરી તેને ઉકાળો ત્યાર પછી તે હુંફાળું ગરમ હોય ત્યારે તેને પી જવું.

કપૂર

5/6
image

કપૂર એક આયુર્વેદિક ઇનહેલર છે. નાક બંધ થઈ ગયું હોય અને શ્વાસ લેવામાં સમસ્યા હોય તો ઉકળતા પાણીમાં કપૂર ઉમેરીને તેનાથી સ્ટીમ લેવાનું રાખો.

તુલસી

6/6
image

આયુર્વેદિક જડીબુટીઓમાંથી એક છે તુલસી. તુલસીમાં એન્ટી એલર્જીક ગુણ હોય છે. બે કપ પાણીમાં પાંચ પાંદડા તુલસીના ઉમેરી તેને 15 મિનિટ સુધી ઉકાળો ત્યાર પછી દિવસમાં બે વખત તેને પીવાનું રાખો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)