10 દિવસ બાદ ધન-વૈભવના દાતા બનાવશે માલવ્ય રાજયોગ, આ જાતકોને થશે છપ્પરફાડ ધનલાભ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

Malavya Rajyog: શુક્ર ગ્રહના ગોચરથી માલવ્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેનાથી ત્રણ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.

માલવ્ય રાજયોગ

1/5
image

વૈદિક જ્યોતિષમાં પંચમહાપુરૂષ રાજયોગનું વર્ણન મળે છે. જે કોઈ વ્યક્તિની કુંડળીમાં હોય તો તેને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. સાથે આવા લોકો ધનવાન હોય છે. અહીં અમે વાત કરી રહ્યાં છીએ માલવ્ય રાજયોગ વિશે જે શુક્ર ગ્રહ બનાવે છે. તમને જણાવી દઈએ કે ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહ 18 સપ્ટેમ્બરે પોતાની સ્વરાશિ તુલામાં ગોચર કરશે. તમને જણાવી દઈએ કે તુલા રાશિમાં શુક્રનું ગોચર આશરે એક વર્ષ બાદ થશે. તો શુક્ર ગ્રહના ગોચરથી માલવ્ય રાજયોગ બનશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોને કરિયર અને કારોબારમાં સફળતા મળી શકે છે. આવો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ...

તુલા રાશિ

2/5
image

તમારા લોકો માટે માલવ્ય રાજયોગનું બનવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવ પર ગોચર કરી રહ્યાં છે. તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સમયે નોકરી કરનાર જાતકોના અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સંબંધ સારા રહેશે અને કરિયરમાં સારી પ્રગતિનો યોગ પણ બની રહ્યો છે. આ સમયે પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. સાથે આ સમયે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે.

મકર રાશિ

3/5
image

માલવ્ય રાજયોગ બનવાથી મકર રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિના કર્મ ભાવ પર ગોચર કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. સાથે નોકરી કરનાર જાતક આ સમયમાં બુદ્ધિ અને કૌશલના માધ્યમથી અધિકારીઓને પ્રભાવિત કરશે અને કરિયરમાં સારી પ્રગતિ થશે. આ સમયે કારોબારીઓને સારો ધનલાભ થઈ શકે છે. સાથે વેપારનો વિસ્તાર થઈ શકે છે. આ સમયે તમારો તમારા પિતા સાથે સંબંધ મજબૂત થશે.

કુંભ રાશિ

4/5
image

તમારા લોકો માટે માલવ્ય રાજયોગનું બનવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી ગોચર કુંડળીના નવમ ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમારો ભાગ્યોદય થઈ શકે છે. સાથે જીવનના દરેક ક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળશે. શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી આવકમાં વધારો કરવાના નવા સ્ત્રોત ખુલશે અને જમીન તથા ફ્લેટ ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. તો નોકરી કરનાર જાતકોના કરિયરમાં સારી પ્રગતિ જોવા મળશે. ઘરના સભ્યો સાથે તમારા સંબંધ અનુકૂળ રહેશે અને પારિવારિક ચિંતાઓ દૂર થશે.  

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.