શ્રાવણ માસમાં મનગમતું ફળ મેળવવા શિવજીને ચઢાવશો કયુ ફૂલ? જાણો આ ફૂલથી થશે મનોકામના પૂર્ણ!

ભગવાન શિવ આમ તો શ્રદ્ધાથી જળ અર્પણ કરવામાં આવે તેનાથી પણ પ્રસન્ન થઈ જતા હોય છે. શ્રાવણમાં ભગવાન શિવની ભક્તિનો મહિમા અપરંપાર છે. મનગમતું ફળ મેળવવા માટે શિવજીને જુદા જુદા પુષ્પ ચડાવવાનું કહેવાયું છે. જાણીએ તેના વિશે...

નવી દિલ્લીઃ ભગવાન શિવ આમ તો શ્રદ્ધાથી જળ અર્પણ કરવામાં આવે તેનાથી પણ પ્રસન્ન થઈ જતા હોય છે. શ્રાવણમાં ભગવાન શિવની ભક્તિનો મહિમા અપરંપાર છે. મનગમતું ફળ મેળવવા માટે શિવજીને જુદા જુદા પુષ્પ ચડાવવાનું કહેવાયું છે. જાણીએ તેના વિશે...ચંદ્રમા અને ગંગાને પોતાના મસ્તિકમાં ધારણ કરનાર, ગળામાં સાપની માળા અને શરીર પર ભસ્મ લગાવનાર ભગવાન શિવની ભક્તિનો શ્રાવણ માસ થોડા દિવસોમાં શરૂ થશે. શ્રાવણમાં જે શ્રદ્ધા અને આસ્થાથી ભગવાન શિવની પૂજા કરે તેના પર શિવની કૃપા રહેતી હોય છે. વહેલી સવારથ શિવાલયોમાં ભકતો ઉમટી પડતા હોય છે, શિવલિંગ પર દૂધનો અભિષેક કરતા હોય છે. ભગવાન શિવને બિલીપત્ર સૌથી પસંદગીનું ફૂલ છે પરંતુ અહી એવા પુષ્પોની વાત જેને અર્પણ કરવાથી શિવજીની કૃપા રહે છે.
 

કમળ

1/7
image

શ્રાવણ માસમાં ભગવાન શિવ પાસેથી ધન અને વૈભવ પ્રાપ્ત કરવા માટે કમળનું ફૂલ ચડાવવું જોઈએ. ભગવાન શિવના મહામાયાધર રૂપનું પૂજન કમળના પુષ્પથી કરવામાં આવે છે. આ રીતે પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા રહે છે અને ધન સંપતિના આશિર્વાદ પ્રાપ્ત થાય છે.

જાસ્મીન

2/7
image

ભગવાન શિવને શ્રાવણ મહિનામાં જાસ્મીનનું પુષ્પ અર્પણ કરવામાં આવે છે. આ પુષ્પ અર્પણ કરવાથી મનુષ્યને સુખ-સંપતિની પ્રાપ્તિની થાય છે. જીવનની મુશ્કેલીઓ અને યાતનાઓ દૂર થાય છે.

દૂર્વા

3/7
image

દૂર્વા ભગવાન ગણેશનું પ્રિય છે, ગણપતિની પૂજામાં દૂર્વા ચડાવવામાં આવે છે પરંતુ શ્રાવણના મહિનામાં ભગવાન શંકરને દૂર્વા ચડાવવાથી વ્યક્તિ નિરોગી રહે છે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.

આંકડો અને ધતૂરો

4/7
image

આંકડો અને ધતૂરો આમ ફળ અને ફૂલમાં કોઈ ઉપયોગમાં આવતા નથી પરંતુ તે ભગવાન શિવના પ્રિય પુષ્પ છે. આંકડો અને ધતૂરાનું વર્ણન વિષ્ણુપુરાણમાં પણ જોવા મળે છે. ભગવાન શિવને આંકડો ચડાવવામાં આવે તો આંખો સંબધી સમસ્યાઓ દૂર થાય છે. ધતૂરો અર્પણ કરવાથી સાપ, વીંછી જેવા જીવલેણ સરિસૃપોનો ડર રહેતો નથી  

ચમેલી

5/7
image

જે લોકોના લગ્નમાં વિધ્ન આવતા હોય અથવા લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી પડતી હોય તેવા લોકોએ શ્રાવણ માસમાં ભગવાન શિવને બેલા અથવા ચમેલીના સુંગધિત પુષ્પ ચડાવવા જોઈએ. ચમેલી અને બેલાના ફૂલ ચડાવવાથી વાહન પ્રાપ્તિનો પણ યોગ બને છે.

બિલીપત્ર

6/7
image

શિવપુરાણ અનુસાર બિલીપત્રના વૃક્ષોની ઉત્પતિ માતા પાર્વતીના પરસેવાથી થઈ હતી. બિલીપત્ર ભગવાન શિવને સૌથી પ્રિય હોય છે. શ્રાવણના માસમાં શિવજીને બિલીપત્ર અર્પણ કરવામાં આવે તો મનગમતું ફળ મળે છે.  

બેલા 

7/7
image

જે લોકોના લગ્નમાં વિધ્ન આવતા હોય અથવા લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી પડતી હોય તેવા લોકોએ શ્રાવણ માસમાં ભગવાન શિવને બેલાના ફૂલ ચઢાવવામાં આવે છે.