વકીલોની અટકાયત News

વડોદરા : કોરોનાને કારણે આવક બંધ થતા વકીલોનો વિરોધ, ટીંગાટોળી કરીને અટકાયત કરાઈ
ગુજરાતભરના વકીલોને કોરોનાનું ગ્રહણ નડ્યું છે. કોર્ટ બંધ હોવાથી વકીલોએ પોતાની આવક ગુમાવી છે. જુનિયર વકીલો અને કોર્ટના અન્ય સ્ટાફની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ત્યારે વડોદરાના વકીલોએ કોર્ટ શરૂ કરવા માંગ કરી છે. કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વકીલો ધરણા પર બેસ્યા હતા. વકીલોએ કોર્ટના સંકુલ બહાર જ મોરચો માંડ્યો હતો. ધરણા કરીને તંત્રને રજુઆત છતાં કોર્ટ શરૂ ન કરાતા વકીલોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારે ધરણાં પર બેઠેલા વકીલોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે વકીલોને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડ્યા હતા. ધરણાં પર બેઠેલા અંદાજે સાત વકીલોની ગોત્રી પોલીસે અટકાયત કરી હતી. 
Jul 23,2020, 11:49 AM IST

Trending news