Occasion of holi News

હોળી અને ધૂળેટીના પ્રસંગે કાળીયા ઠાકરનાં દર્શને ભક્તોનું ઘોડાપુર
આગામી ૧૦ તારીખે ધુળેટીના દિવસે દ્વારકામાં જગતમંદિર માં ફૂલ ડોલ ઉત્સવ ઉજવવા માટે લાખો અધીરા પદયાત્રીઓ આજે દ્વારકા જગત મંદિર તરફ પહોંચવા આવ્યા છે. પદયાત્રીઓનું ઘોડાપુર આજે દ્વારકામાં ઉમટ્યું છે. દરવર્ષે  ગુજરાતભરમાંથી કાળિયા ઠાકોર એટલે કે ભગવાન દ્વારકાધિશ પર અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર લાખો પદયાત્રીઓ દ્વારકા આવે છે. પગપાળા આવતા પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે થઈ કે અનેક જગ્યા એ સેવા કેમ્પો પણ કરવામાં આવે છે. પદયાત્રીઓ  આજે દ્વારકામાં ઉમટ્તા દ્વારકા આવતા તમામ માર્ગો પર સેવાકીય કૅમ્પોનાં સેવાભાવીઓ દ્વારકા આવતા ભક્તો માટે સેવા કરી રહ્યા છે. ઠેર ઠેર દ્વારકાનાં માર્ગો ભક્તોથી ઉભરાયા છે. 
Mar 8,2020, 23:32 PM IST

Trending news