અરવલ્લી વરઘોડા મામલે Dysp સામે પગલા લેવા અનુસૂચિત જાતિના આગેવાનોની માગ

અરવલ્લીના ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે FIR દાખલ કરવાની માંગણી અનુસૂચિત જાતિના આગેવાનોએ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી સહિત ગૃહસચિવને આવેદનપત્ર સોંપવામાં આવ્યું. જેમાં મોડાસામાં વરઘોડો રોકવો એક ષડયંત્રનો ભાગ હોવાનો ઉલ્લેખ છે. વરઘોડામાં થયેલી બબાલ બાદ ડીવાયએસપી ફાલ્ગુની પટેલનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Trending news