બાળકોને જીપ ઉપર બેસાડીને CMના કાર્યક્રમમાં લઈ જવાયા

સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવામાં આવતી હોય છે. આ માટે વિવિધ ગામડાઓમાં ટ્રક, બસ, ટેમ્પા ભરીને માણસોને લાવવામાં આવતા હોય છે, જેથી સભા સ્થળે હાઉસફુલ દેખાય. ત્યારે આજે દાહોદમાં સ્વ. પૂજ્ય શ્રી ઠક્કર બાપા (Thakkar Bapa) ની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ઉપસ્થિત રહ્યા હતા. જેના માટે બાળકોને કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે બાળકોને કોઈ પણ સલામતી વગર જીપ પર બેસાડીને લઈ જવાયા હતા.

Trending news