નિત્યાનંદ આશ્રમ કેસ: નિત્યનંદિતાનું લોકેશન ટ્રેસ કરવા લેવાઇ ઇન્ટરપોલની મદદ

નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાના મામલે નિત્યનંદિતાનું લોકેશન ટ્રેસ કરવા આખરે ઇન્ટરપોલની મદદ લેવાઈ રહી છે. ગુજરાત પોલીસે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે CID ક્રાઇમની મદદથી ઇન્ટરપોલનો સંપર્ક કર્યો હતો. નિત્યનંદિતા 5મી નવેમ્બરે સોનાલી ચેક પોસ્ટથી નેપાળમાં પ્રવેશી હતી. નેપાળ થઈને અન્ય કોઈ દેશમાં ગઈ હોવાની શકયતા દર્શાવાઇ રહી છે. નિત્યનંદિતા નેપાળમાં છે કે અન્ય કોઈ દેશમાં તે ઇન્ટરપોલની મદદથી જાણી શકાશે.

Trending news