પુલવામાના આરોપી મસૂદને બચાવવા પાકિસ્તાનના ધમપછાડા

પાકિસ્તાન શાંતિ માટેના પ્રયત્નો કરી રહ્યું છે એવા જે બણગા ફૂંકતું હતું તેની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. પાકિસ્તાને ફરીથી આતંકવાદનું સમર્થન કર્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ વિદેશી મીડિયાને કહ્યું કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા આતંકી હુમલા માટે જૈશ એ મોહમ્મદ જવાબદાર નથી. તેમનું કહેવું છે કે આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી નથી. આ મામલે હજું કન્ફ્યુઝન છે. કુરેશીએ એમ પણ કહ્યું કે પાકિસ્તાનાં રહેલા કેટલાક લોકોએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ટોચના આતંકીઓનો સંપર્ક કર્યો પરંતુ તેમણે આ મામલે જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે.

Trending news