કલમ 370 પર મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય

ગૃહ મંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન બિલ રજુ કર્યું. બિલ રજુ કરતા જ જાણે રાજકીય ભૂકંપ આવી ગયો. આ સાથે જ તેમણે રાજ્યમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કરી દીધો. નવા કાયદા મુજબ ભારતના બંધારણની કલમ 370ના ખંડ એક સિવાય તમામ ખંડોને રદ્દ કરવાની ભલામણ રાજ્યસભામાં રજુ કરી છે.

Trending news