જામનગરના 3 ગામમાં ભૂકંપના આંચકા

જામનગરના કાલાવડ તાલુકાના 3 ગામમાં ભૂકંપના આંચકા આવ્યા છે. સરાપાદરા, ખાનકોટડા અને બેરાજા ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગત મોડી રાત્રે 10:55 અને 11:16 વાગ્યે ત્રણેય ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપના આંચકાની તીવ્રતા 3.3 રિકટર સ્કેલના નોંધાયા છે. જો કે, ભૂકંપના આંચકાથી આ ત્રણેય ગામડાઓમાં કોઈ પ્રકારની જાનહાની કે નુકસાની થઇ નથી. ભૂકંપના આંચકાનું એપી સેન્ટર જામનગર 23 કિ.મી દૂર નોંધાયું છે.

Trending news