ગુજરાત સહિત 4 રાજ્યોના અછતગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજની જાહેરાત

મોદી સરકારે બજેટ પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં ખેડૂતો માટે 6680 કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી છે. આ રાહત પેકેજનો લાભ આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને મળશે. આ રકમમાં આંધ્રપ્રદેશ માટે 900 કરોડ રૂપિયા, ગુજરાત માટે 130 કરોડ રૂપિયા, મહારાષ્ટ્ર માટે 4700 કરોડ રૂપિયા અને કર્ણાટક માટે 950 કરોડ રૂપિયાના પેકેજની મંજૂરી આપવામાં આવી છે. આ રાજ્યોમાં ખેડૂતો દુકાળથી પીડિત હતા અને સરકારના આ નિર્ણયથી તેમને મોટી રાહત મળશે.

Trending news