રાજકોટની ઉપલેટા કેનાલમાં અચાનક પાણી છોડાતા ખેતરોમાં ઘૂસ્યા પાણી

રાજકોટની ઉપલેટા કેનાલમાં અચાનક પાણી છોડવામાં આવતા ખેડૂતોને નુકશાન થયું છે. કેનલોમાં પુરી સાફ સફાઈ કરવામાં આવી નથી. સાફ સફાઇના અભાવે કચરો કેનાલમાં રહેલો કચરો કેનાલની કુંડીમાં ફસાઈ જતા પાણી કેનાલની બહાર છલકાઈ ગયું હતું. ખેતરોમાં જવાના રસ્તાની ગારીઓમાં તેમજ ખેડૂતોના ખેતરોમાં ઘુસી ગયું હતું. ખેડૂતોએ ઉતારેલ એરંડા પલળીને તણાઈ જતા મોટું નુકશાન થયું હતું.

Trending news