ગુરૂવારે RBI જાહેર કરશે ક્રેડિટ પોલિસી, વ્યાજ દરોમાં થઇ શકે છે ઘટાડો

ગુરૂવારે ભારતીય રિઝર્વ બેંક ક્રેડિટ પોલિસી જાહેર કરશે. જાણકારોએ જણાવ્યું હતું કે ટોચની બેંક મોનેટરી પોલિસીની સમીક્ષામાં નીતિગત દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. ગત બે બેઠકોમાં પણ બેંક વ્યાજ દરોમાં એક ચતૃથાંશ-એક ચતૃથાંશનો ઘટાડો કરી ચૂકી છે. કેટલાક જાણકારો રેપો રેટમાં 0.25 ટકાની તો કેટલાક 0.50 ટકાનો ઘટાડો થશે એવું માને છે. 
ગુરૂવારે RBI જાહેર કરશે ક્રેડિટ પોલિસી, વ્યાજ દરોમાં થઇ શકે છે ઘટાડો

નવી દિલ્હી: ગુરૂવારે ભારતીય રિઝર્વ બેંક ક્રેડિટ પોલિસી જાહેર કરશે. જાણકારોએ જણાવ્યું હતું કે ટોચની બેંક મોનેટરી પોલિસીની સમીક્ષામાં નીતિગત દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. ગત બે બેઠકોમાં પણ બેંક વ્યાજ દરોમાં એક ચતૃથાંશ-એક ચતૃથાંશનો ઘટાડો કરી ચૂકી છે. કેટલાક જાણકારો રેપો રેટમાં 0.25 ટકાની તો કેટલાક 0.50 ટકાનો ઘટાડો થશે એવું માને છે. 

રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની 3 દિવસ સુધી ચાલનાર બેઠક સોમવારે શરૂ થઇ ગઇ છે. 5 જૂનના રોજ ઇદના દિવસે રજા હોવાના કારણે ત્રીજા દિવસે બેઠક 6 જૂનના રોજ થશે આ દિવસે બેંક રેપો રેટ પર પોતાનો નિર્ણય સંભળાવશે. 

તમને જણાવી દઇએ કે વડાપ્રધાન નરેંદ્ર મોદી નેતૃત્વમાં બીજીવાર એનડીએ સરકારના બીજા કાર્યકાળમાં બેંક પોતાની પ્રથમ મોનિટરી પોલિસીની સમીક્ષામાં રજૂ કરશે. જાણકારો કહે છે કે અર્થવ્યવસ્થાની સુસ્તીને રોકવા માટે રિઝર્વ બેંકને વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. 

— Zee Business (@ZeeBusiness) June 4, 2019

આમ આદમીને મળશે રાહત
રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ ઓછો કરવાથી સામાન્ય માણસને રાહત મળશે. જે લોકોએ ઘર માટે અથવા પછી વાહન માટે લોન લીધી છે, તેમની ઇએમઆઇ રેપો રેટ ઓછો થતાં ઘટી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news