વધુ એક ફટકો, જો આ 3 બેંકોમાંથી લોન લીધી હશે તો ચોક્કસ વધશે તમારો EMI

પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોથી હેરાન પરેશાન જનતા પર વધુ એક મોંઘવારીનો ફડાકો પડવાનો છે.

વધુ એક ફટકો, જો આ 3 બેંકોમાંથી લોન લીધી હશે તો ચોક્કસ વધશે તમારો EMI

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોથી હેરાન પરેશાન જનતા પર વધુ એક મોંઘવારીનો ફડાકો પડવાનો છે. ભારતીય રિઝર્વ બેંકની મોનેટ્રી પોલીસી કમિટી (એમપીસી)ની બેઠક પહેલા દેશની ત્રણ મોટી બેંકોએ શુક્રવારે બેંચમાર્ક ઋણ દર એટલે કે એમસીએલઆર આધારિત દરોમાં 0.1 ટકાનો વધારો કર્યો છે. જે બેંકોએ વધારો કર્યો છે તે ત્રણ મોટી બેંકો છે એસબીઆઈ, પીએનબી અને આઈસીઆઈસીઆઈ બેંક. આ વધારો થવાથી ગ્રાહકો માટે લોન મોંઘી બનશે. નવા દરો આજથી પ્રભાવિત થયા છે. એસબીઆઈએ તમામ ત્રણ વર્ષ સુધીની વિભિન્ન મેચ્યોરિટી મર્યાદાના બેંચમાર્ક ઋણ દરમાં 0.10 ટકા સુધીનો વધારો કર્યો છે.

એસબીઆઈની વેબસાઈટ મુજબ એસબીઆઈએ એક દિવસ અને એક મહિનાની અવધિ પર એમસીએલઆરને 7.8 ટકાથી વધારીને 7.9 ટકા કરી નાખ્યો છે. જ્યારે શ્રણ વર્ષની મેચ્યોરિટીવાળા ઋણ માટે વ્યાજ દરને 8.35ટકાથી વધારીને 8.45 ટકા કરી નાખ્યો છે. જ્યારે પીએનબીએ ત્રણ વર્ષ અને પાંચ વર્ષના સમયગાળા માટે એમસીએલઆરને વધારીને ક્રમશ: 8.55 ટકા અને 8.7 ટકા કર્યો છે. પીએનબીએ આધાર દરને પણ 9.15 ટકાથી વધારીને 9.25 ટકા કર્યો છે.

આઈસીઆઈસીઆઈ બેંકે કહ્યું કે તેણે પાંચ વર્ષના સમયગાળાના એમસીએલઆર દરને 0.10 ટકા વધારીને 8.70 ટકા કર્યો છે. આ સાથે જ એક વર્ષ અને ત્રણ વર્ષના સમયગાળાના ઋણ માટે પણ એમસીએલઆરમાં 0.10 ટકાનો વધારો કરાયો છે. સૂત્રોએ જણાવ્યું કે અન્ય બેંકો પણ જલદી આ અનુસરશે. મોટાભાગના મકાનો અને વાહનોની લોન એમસીએલઆર સાથે જોડાયેલી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news