મહારાષ્ટ્રના પૂર સંકટને કારણે ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેન કેન્સલ કરાઈ, આ રહ્યું લિસ્ટ

મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ટ્રેન સેવા અવિરત ચાલુ હોય છે. ત્યારે કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે લેન્ડસ્લાઇડ અને દક્ષિણ મધ્ય રેલ્વે પર વધુ પડતા પાણી ભરાઈ જવા અને ડીરેલમેંટ થવાને કારણે ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેનોને અસર થઈ છે. જેમાં અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત (trains cancel) રહેશે. મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિને કારણે કેટલીક ટ્રેનો રદ કરાઈ છે, તો કેટલીક ટ્રેનોના રુટ ડાયવર્ટ કરાયા છે.
મહારાષ્ટ્રના પૂર સંકટને કારણે ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેન કેન્સલ કરાઈ, આ રહ્યું લિસ્ટ

ઝી મીડિયા/બ્યૂરો :મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ટ્રેન સેવા અવિરત ચાલુ હોય છે. ત્યારે કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે લેન્ડસ્લાઇડ અને દક્ષિણ મધ્ય રેલ્વે પર વધુ પડતા પાણી ભરાઈ જવા અને ડીરેલમેંટ થવાને કારણે ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેનોને અસર થઈ છે. જેમાં અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત (trains cancel) રહેશે. મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિને કારણે કેટલીક ટ્રેનો રદ કરાઈ છે, તો કેટલીક ટ્રેનોના રુટ ડાયવર્ટ કરાયા છે.

આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

રદ થયેલી ટ્રેનો

  • ટ્રેન નંબર 02297 અમદાવાદ-પુણે સ્પેશિયલ 25 થી 27 જુલાઈ 2021 સુધી રદ રહેશે.
  • ટ્રેન નંબર 02298 પુણે - અમદાવાદ સ્પેશિયલ 24 થી 26 જુલાઈ 2021 સુધી રદ રહેશે.
  • ટ્રેન નંબર 02907 મડગાંવ - હાપા સ્પેશિયલ 23 જુલાઈ 2021 ના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 06337 ઓખા - એર્નાકુલમ સ્પેશિયલ 24 જુલાઈ 2021 ના રોજ રદ રહેશે.
  • 24 જુલાઈ 2021 ના રોજ કોલ્હાપુરથી ચાલતી  ટ્રેન નંબર 01050 છત્રપતિ શાહુજી મહારાજ ટર્મિનસ કોલ્હાપુર - અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.
  • 25 જુલાઇ 2021 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 01049 અમદાવાદ - છત્રપતિ શાહુજી મહારાજ ટર્મિનસ કોલ્હાપુર સ્પેશિયલ પેરીંગ રેકની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 09494 પુરી-ગાંધીધામ સ્પેશિયલ 26 જુલાઈ અને 02 ઓગસ્ટ 2021 ના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 09493 ગાંધીધામ - પુરી સ્પેશિયલ 30 જુલાઇ અને 06 ઓગસ્ટ 2021 ના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 09578 જામનગર - તિરુનેલવેલી સ્પેશિયલ 24 જુલાઇ 2021 ના રોજ રદ રહેશે.

ડાયવર્ટ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ 

  • 23 જુલાઈ 2021 ના રોજ અજમેરથી દોડતી ટ્રેન નંબર 06209 અજમેર - મૈસુર સ્પેશિયલ વાયા પુના, દૌંડ, હોટગી, ગડગ અને હુબલી થઈને દોડશે.
  • 23 જુલાઈ 2021 ના રોજ તિરુચિરાપલ્લીથી દોડતી ટ્રેન નંબર 02498 તિરુચિરાપલ્લી - શ્રી ગંગાનગર સ્પેશિયલ વાયા હુબલી, ગડગ, હોટગી, દૌંડ અને પુણે થઈને દોડશે.
  • 23 જુલાઈ 2021 ના રોજ  ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગ્લોર - અજમેર સ્પેશિયલ વાયા ગડગ, હોટગી, દૌંડ અને પુણે થઈને દોડશે.
  • 23 જુલાઇ 2021 ના રોજ ટ્રેન નંબર 06335 ગાંધીધામ - નાગરકોઇલ સ્પેશિયલ  વાયા સુરત, જલગાંવ, બલ્લારશાહ, ગુડુર અને શોરાનુર થઈને દોડશે.
  • 23 જુલાઇ 2021 ના રોજ અજમેરથી દોડતી ટ્રેન નંબર 02978 અજમેર - એર્નાકુલમ સ્પેશિયલ વાયા સુરત, જલગાંવ, વર્ધા, બલ્લારશાહ, વિજયવાડા, ઇરોડ અને શોરાનુર થઈને દોડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news