કલ્યાણજી-આણંદજી સાથે જોડાયેલો એવો કિસ્સો જે ચર્ચામાં આવ્યો તો ખુદ સંગીતકારે કર્યો હતો ખુલાસો

જાણીતા સંગીતકાર બેલડી કલ્યાણજી-આનંદજીમાંથી કલ્યાણજીની આજે પુણ્યતિથિ છે. ત્યારે જાણીએ તેમના જીવન સાથે જોડાયેલો અનોખો કિસ્સો. જે તેમની સંગીત શિક્ષા સાથે જોડાયેલો છે. કલ્યાણજીની પુણ્યતિથિ પર જાણો તેમની લાઈફનો રોચક કિસ્સા...

કલ્યાણજી-આણંદજી સાથે જોડાયેલો એવો કિસ્સો જે ચર્ચામાં આવ્યો તો ખુદ સંગીતકારે કર્યો હતો ખુલાસો

ઝી બ્યૂરો, અમદાવાદઃ એક સમયની મહાન સંગીતકાર જોડી કલ્યાણજી-આણંદજીમાંથી કલ્યાણજીની આજે એટલે કે 24 ઓગસ્ટે પુણ્યતિથિ છે. આનંદજી જેટલા હસમુખ હતા કલ્યાણજી એટલા જ ગંભીર પ્રકૃતિના હતા. બંનેએ મળીને 250થી વધુ ગીતો આપ્યા છે, જે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમર બની ગયા છે. આજે વાત કરીશું કલ્યાણજીની. જેઓ એક ગરવા ગુજરાતી પણ હતા.

કલ્યાણજીનો જન્મ કચ્છમાં થયો હતો. તેમની શરૂઆતથી જ સંગીત પર પકડ હતી. કારણ કે તેમના દાદા-દાદીની લોકસંગીત પર સારી પકડ હતી. એટલે કહી શકાય તે તેમની રગોમા સંગીત દોડતું હતું. અનેક મીડિયા રિપોર્ટસમાં તેની સંગીત શિક્ષાને લઈને અનેક કહાનીઓ છે. જેમાંથી એક છે કે,કલ્યાણજી-આનંદજીના પિતા વીરજી શાહ એક કરિયાણાની દુકાન ચલાવતા હતા. અને બંને ભાઈઓ ત્યા મદદ કરતા હતા. આ દુકાન પર એક ઉસ્તાદ આવતા હતા, જેમને સંગીતની ખૂબ જ ઊંડી સમજ હતી.

કહેવાય છે કે, આ ઉસ્તાદ વીરજી શાહની દુકાનથી સામાન ઉધાર લઈ જતા હતા. આવી રીતે ઉધાર લેતા લેતા ઉસ્તાદજીની ઉધારી ખૂબ જ વધી ગઈ. તો વીરજી શાહે તેમને કહ્યું કે, પહેલા પૈસા ચૂકવો પછી સામાન લેજો. ઉસ્તાદજીએ કહ્યું કે, તેમની પાસે પૈસા તો નથી પરંતુ સંગીત છે. ત્યારે વીરજીએ કહ્યું કે, આ મારા બંને દીકરા છે. તેમને લઈ જાઓ અને સંગીત શિખવો. અહીંથી તેમની સંગીતની શિક્ષા શરૂ થઈ.

જો કે, આ કિસ્સો કેટલો સાચો છે એના પરથી પડદો તો કલ્યાણજી-આનંદજીમાંથી આનંદજીએ ઉઠાવ્યો હતો.તેમણે આ કહાનીને ખોટી ગણાવતા કહ્યું હતું કે, સંગીત કોઈ એવી વસ્તુ નથી જેને તમે પૈસા આપીને ખરીદી શકો. જો એવું હોય તો દરેક વ્યક્તિ સંગીકાર બની ગયો હોત. અમે એકવાર મજાકમાં આ વસ્તુ કોઈને કહી હતી. પરંતુ તેમાં સચ્ચાઈ નથી. અમે મજાકમાં કોઈને આ વાત કહી હતી. પરંતુ આ વાતમાં સચ્ચાઈ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news