બોટાદ સાળંગપુર હાઇવે પર ગંભીર અકસ્માતમાં 3નાં મોત 6 લોકો ઘાયલ

બોટાદ સાળંગપુર રોડ પર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં સાળંગપુરથી દર્શન કરીને પરત ફરી રહેલા 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે 6 ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર માટે ખસેડવામાં આવેલા લોકો પૈકી 1ની સ્થિતી હજી પણ ગંભીર હોવાની માહિતી મળી રહી છે. હાલ તો તંત્ર દ્વારા 108ની મદદથી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બોટાદ સાળંગપુર હાઇવે પર ગંભીર અકસ્માતમાં 3નાં મોત 6 લોકો ઘાયલ

નવનીત દલવાડી/ભાવનગર : બોટાદ સાળંગપુર રોડ પર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં સાળંગપુરથી દર્શન કરીને પરત ફરી રહેલા 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે 6 ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર માટે ખસેડવામાં આવેલા લોકો પૈકી 1ની સ્થિતી હજી પણ ગંભીર હોવાની માહિતી મળી રહી છે. હાલ તો તંત્ર દ્વારા 108ની મદદથી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

‘તુ મારી નહિ તો કોઈની નહિ...’ કહીને વિદ્યાર્થીએ સાથી મિત્રની પાણીની બોટલમાં ઝેરી દવા નાંખી
આણંદથી સાળંગપુર દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. પરિવાર સાળંગપુરથી દર્શન કરીને આવી રહ્યા હતા. CNG રીક્ષાને અજાણ્યા વાહન દ્વારા ટલ્લો મારવામાં આવ્યો હતો. રીક્ષા અચાનક વાગેલા ટલ્લાને કારણે ખાળીયામાં ખાબકી હતી. જેમાં 3નાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અન્ય 6 લોકોને ગંભીર સ્થિતીમાં સારવાર માટે બોટાદ પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે અને અને વધારે સારવાર માટે તેમને ભાવનગર ખસેડવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news