Biparjoy: ગુજરાતમાં બિપરજોય ત્રાટક્યું; અનેક વિસ્તારોમાં રસ્તા બંધ, વીજળી ડૂલ, ઝાડ પડ્યા, કચ્છમાં હાહાકાર!

Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયનું કચ્છમાં લેન્ડફોલ શરૂ થયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Biparjoy: ગુજરાતમાં બિપરજોય ત્રાટક્યું; અનેક વિસ્તારોમાં રસ્તા બંધ, વીજળી ડૂલ, ઝાડ પડ્યા, કચ્છમાં હાહાકાર!

Biparjoy Latest Updates: ગુજરાતમાં સુપર સાયક્લોન બાયપરજોય જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર વધુ તીવ્ર બની રહી છે. ચક્રવાતી તોફાન બિપરજોય આજે (15 જૂન) તબાહી સર્જે તેવી સંભાવના વચ્ચે 8 રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નેવી, એરફોર્સ, આર્મી, એનડીઆરએફ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ તૈયાર છે. 74 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

The landfall process has commenced over the coastal districts of Saurashtra and Kutch and it will continue until midnight, says IMD pic.twitter.com/xzIFwCxP1U

— ANI (@ANI) June 15, 2023

ચક્રવાત બિપરજોયનું કચ્છમાં લેન્ડફોલ શરૂ થયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, લેન્ડફોલ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. આ પછી વાવાઝોડું નબળું પડીને રાજસ્થાન તરફ વળશે.

— ANI (@ANI) June 15, 2023

ચક્રવાતી તોફાન બિપરજોયના ખતરાને લઈને કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી દરેક લોકો એલર્ટ પર છે. NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો ગુજરાતમાં તૈનાત છે. સાથે જ નેવીના 4 જહાજોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આ સિવાય દરિયાકાંઠાની નજીક રહેતા 95,000 થી વધુ લોકોને સાવચેતીના પગલા તરીકે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો સુપર સાયક્લોનનો ખતરો છે. આ 9 રાજ્યો લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને રાજસ્થાન (પશ્ચિમ) છે.

ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડો. મૃત્યુંજય મહાપાત્રાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘હાલ 115થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્રમાં લેન્ડફોલની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ છે. આગામી સમયમાં અતિભારે વરસાદ ખાબકે તેવી આગાહી છે. મધરાત સુધી લેન્ડફોલ શરૂ રહેશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘કચ્છ અને દ્વારકામાં લેન્ડફોલની શરૂઆત થઈ ગઈ છે. આંખનો વ્યાસ 50 કિલોમીટર છે. વાવાઝોડું જે ઝડપે ચાલી રહ્યું છે તે હાલમાં 13થી 14 કિલોમીટરની છે. વાવાઝોડાને પસાર થતા પાંચ કલાક થશે. આખું વાવાઝોડું લેન્ડફોલ થતા મધરાત થશે.’

ચક્રવાતની ધીમી ગતિને કારણે લેન્ડફોલની પ્રક્રિયામાં લાગી રહ્યો છે સમય 
ચક્રવાત બિપરજોયનું લેન્ડફોલ કચ્છના દરિયાકાંઠે શરૂ થઈ ગયું છે. હાલમાં 115 થી 125 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે, લેન્ડફોલ સમયે 150 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતની ધીમી પ્રગતિને કારણે આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી રહ્યો છે.

ગુજરાતના મોરબી, જામનગર અને દ્વારકામાં વરસાદ સાથે પવનની ઝડપ વધી
સાયક્લોન બિપોરજોયની અસરથી મોરબીમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ થયો છે. હાલમાં, ચક્રવાત બિપોરજોયની લેન્ડફોલની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. દ્વારકા અને જામનગરથી ભારે વરસાદ અને ભારે પવનને કારણે અનેક જગ્યાએ વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ છે.

— ANI Digital (@ani_digital) June 15, 2023

કચ્છના અનેક વિસ્તારોમાં વીજળી ડુલ, ભારે પવનને કારણે વૃક્ષો પડી ગયા
ગુજરાતના કચ્છમાં ચક્રવાત બિપરજોયનું લેન્ડફોલ શરૂ થયું છે. કચ્છમાં હાલ 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર છે. વધતા જોખમને જોતા ઘણા વિસ્તારોમાં વીજળી પણ કાપી નાખવામાં આવી છે.

પવનની ઝડપ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે
ચક્રવાત બિપરજોયના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા મધરાત સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લેન્ડફોલ દરમિયાન, પવનની ઝડપ 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

ચક્રવાત બિપરજોય કચ્છના દરિયાકાંઠે લેન્ડફોલ શરૂ
ગુજરાતના કચ્છના જખૌ બંદર પર લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. તોફાનની ઝડપ લગભગ 12 થી 15 કિલોમીટરની છે. દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. પવન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે છે. હવામાન વિજ્ઞાનના મહાનિર્દેશકના જણાવ્યા અનુસાર મધ્યરાત્રિ સુધી લેન્ડફોલ ચાલુ રહેશે. આ પછી વાવાઝોડું નબળું પડીને રાજસ્થાન તરફ વળશે.

ભારતીય નૌકાદળ મહાતુફાન સામે લડવા માટે 25 ટીમો સાથે તૈયાર
રીઅર એડમિરલ કુણાલ રાજકુમાર (ચીફ સ્ટાફ ઓફિસર, OPS, વેસ્ટર્ન નેવી) એ જણાવ્યું કે ચક્રવાત બિપરજોય કચ્છના દરિયાકાંઠાથી માત્ર 70 કિલોમીટર દૂર છે. તે કોઈપણ સમયે જખૌ બંદર પર ટકરાઈ શકે છે. આ દરમિયાન 130 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમે 25 થી વધુ ટીમો સાથે તૈયાર છીએ. જેમાં તબીબી નિષ્ણાતો અને તરવૈયાઓનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news