GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 24 સાજા થયા, એક પણ વ્યક્તિનું મોત નહી

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી કોરોનાના આંકડાઓમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે 13 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યના 24 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આ પ્રકારે અત્યાર સુધીમાં કુલ 8,15,490 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજના દિવસમાં 4,81,733 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો રિકવરી રેટ પણ 98.76 ટકા પર પહોંચ્યો છે. 
GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 24 સાજા થયા, એક પણ વ્યક્તિનું મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી કોરોનાના આંકડાઓમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે 13 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યના 24 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આ પ્રકારે અત્યાર સુધીમાં કુલ 8,15,490 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજના દિવસમાં 4,81,733 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો રિકવરી રેટ પણ 98.76 ટકા પર પહોંચ્યો છે. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 143 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટીલેટર પર છે. 140 નાગરિકો સ્ટેબલ છે. 8,15,490 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. તો બીજી તરફ 10082 નાગરિકોના અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે ગુજરાત માટે સારા સમાચાર છે. 

જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 28ને રસીનો પ્રથમ જ્યારે 1152 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 52009 નાગરિકોને રસીનો પ્રથમ અને 81738 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 1,41,125 નાગરિકોને રસીનો પ્રથમ અને 200681 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 4,81,733 રસીના ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news