GUJARAT CORONA UPDATE: નવા 9 કેસ, 26 સાજા થયા એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના આજે માત્ર 9 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દી સાજા પણ થઇ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,12,670 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 17,310 ડોઝ અપાયા હતા. 
GUJARAT CORONA UPDATE: નવા 9 કેસ, 26 સાજા થયા એક પણ મોત નહી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના આજે માત્ર 9 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દી સાજા પણ થઇ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,12,670 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 17,310 ડોઝ અપાયા હતા. 

રાજ્યમાં હાલ કુલ 259 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 256 નાગરિકો સ્ટેબલ છે. 12,12,670 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 4, આણંદ, દાહોદ, ખેડા અને સુરત કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 969 ને પ્રથમ જ્યારે 4843 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 389 ને રસીનો પ્રથમ જ્યારે 1310 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 2343 ને પ્રિકોર્શન ડોઝ અને 12-14 વર્ષના તરૂણો પૈકી 7456 ને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 17,310 અને 10,58,47,409 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news