શરમ કરો! વ્યાજખોરોથી કંટાળીને શિક્ષકે કરી આત્મહત્યા, સાડા પાંચ લાખને બદલે 14 લાખ ચૂકવ્યા તો પણ...

Gujarat Suicide News: ગુજરાત પોલીસ દાવાઓ કરી રહી છે કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થઈ રહી છે પણ ગુજરાતના એક શિક્ષકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટી રકમ ચૂકવ્યા પછી પણ વ્યાજ પર પૈસા આપનારા લોકો તેને અને તેના પરિવારને પરેશાન કરી રહ્યા હતા. આ કારણે ખૂબ જ ટેન્શનમાં આવીને શિક્ષકે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.

શરમ કરો! વ્યાજખોરોથી કંટાળીને શિક્ષકે કરી આત્મહત્યા, સાડા પાંચ લાખને બદલે 14 લાખ ચૂકવ્યા તો પણ...

અમદાવાદઃ ગુજરાતમાં ઓઢવના રહેવાસી એક શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યવસાયે શિક્ષકે વ્યાજ પર પૈસા લીધા હતા. તેના બદલામાં શિક્ષકે વ્યાજની સામે બમણાથી વધુ રકમ આપી હતી. તેમ છતાં શાહુકારો તેને અને તેના પરિવારને સતત ત્રાસ આપતા હતા, જે બાદ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં તેના મોટા ભાઈએ પણ આવી જ રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમયસર સારવાર મળતા તેમનો બચાવ થયો હતો.

5.5 લાખના બદલે 14 લાખ ચૂકવ્યા 
પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ, મૃતક સુબ્રતો પાલે વ્યાજખોરો પાસેથી 5.50 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તેના બદલામાં સુબ્રતોએ 14 લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું હતું. તેમ છતાં પૈસા માટે વ્યાજખોરો તેમને સતત ત્રાસ આપતા હતા જેના કારણે શિક્ષકે આત્મહત્યા કરી લીધી હતી. મૃતક સુબ્રતો પાલના મોટા ભાઈએ પણ છ દિવસ પહેલાં ઝેર ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે પોલીસે તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી ન હતી.

સુસાઇડ નોટમાં આ વાતનો ઉલ્લેખ 
સુબ્રતોએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે ત્રણ વ્યાજખોરો યશપાલ સિંહ, હર્ષિલ મિશ્રા અને અમન સિંહ ચૌહાણ તેને અને તેના પરિવારને ટોર્ચર કરતા હતા. પોલીસે ફરિયાદ પર ધ્યાન ન આપતાં સુબ્રતો હતાશ થઈ ગયા હતા. આ ઘટના ઓઢવની ગોકુલનગર સોસાયટીમાં સોમવારે વહેલી સવારે પાંચ વાગ્યે બની હતી. સુબ્રતોએ રસોડાની છતના હૂકથી લટકવા માટે કપડાંનો ઉપયોગ કર્યો હતો. હિન્દીમાં લખેલી સુસાઈડ નોટમાં એ આશા વ્યક્ત કરી હતી તેમના મૃત્યુ બાદ પરિવારને ન્યાય મળી શકે છે.

વ્યાજખોરો હિંસાનો આશરો લેતા હતા
શિક્ષકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, વ્યાજખોરો સુબ્રતોને અવારનવાર હેરાન કરતા હતા. તેઓ શારીરિક હિંસાનો આશરો લેતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. પોલીસ રવિવારે સાંજે પાલના ઘરે પહોંચી હતી, પરંતુ ઔપચારિક ફરિયાદ લેવામાં નિષ્ફળ રહી હતી. ત્યારથી સુબ્રતોની નિરાશા વધી ગઈ. ત્રણેય વ્યાજખોરો વારંવાર દાવો કરતા હતા કે નિકોલના પીઆઈ તેમના સંબંધીઓ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news