સરકારનો મહત્વનો નિર્ણય: આ નાગરિકોને 50 પ્રતિ કિલોની કિંમતે મળશે તુવેરદાળ

રાજ્યના NFSA કાર્ડ ધારક એવા ૭૦ લાખ પરિવારોને હવે રૂ. ૫૦ પ્રતિ કિલોના ફિક્સ ભાવે તુવેરદાળ મળશે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો NFSA કાર્ડ ધારકો માટે હિતકારી નિર્ણય લીધો હતો. રાજ્ય સરકાર વાર્ષિક રૂ. ૧૨૦ કરોડનો વધારાનો બોજ આ સબબ વહન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ ૭૦ લાખ કુટુંબોને દર માસે રાહતદરે કઠોળના વિતરણ માટે પ્રતિ કુટુંબ ૧ કિલો તુવેરદાળ હવે ૫૦ રૂપીયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવાનો નિર્ણય કર્યો છે. 
સરકારનો મહત્વનો નિર્ણય: આ નાગરિકોને 50 પ્રતિ કિલોની કિંમતે મળશે તુવેરદાળ

ગાંધીનગર : રાજ્યના NFSA કાર્ડ ધારક એવા ૭૦ લાખ પરિવારોને હવે રૂ. ૫૦ પ્રતિ કિલોના ફિક્સ ભાવે તુવેરદાળ મળશે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો NFSA કાર્ડ ધારકો માટે હિતકારી નિર્ણય લીધો હતો. રાજ્ય સરકાર વાર્ષિક રૂ. ૧૨૦ કરોડનો વધારાનો બોજ આ સબબ વહન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ ૭૦ લાખ કુટુંબોને દર માસે રાહતદરે કઠોળના વિતરણ માટે પ્રતિ કુટુંબ ૧ કિલો તુવેરદાળ હવે ૫૦ રૂપીયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવાનો નિર્ણય કર્યો છે. 

આ યોજના હેઠળ ભારત સરકાર વતી નાફેડ દ્વારા રાજય સરકારને તુવેરદાળનો જથ્થો પુરો પાડવામાં આવે છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાના ભાવનો દર ત્રણ/ચાર માસે બદલાતાં, વેચાણ કિંમત પણ બદલાતી રહેતી હતી, આથી રેશનકાર્ડઘારકો માટે તુવેર દાળનો વિતરણ ભાવ ૫ણ બદલાતો રહેતો હતો. 

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, તુવેરદાળની આ યોજનામાં પ્રતિ કિલો એ રૂ.૩૦/- ફીક્સ સબસીડી રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ હોવાથી ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાનો ભાવ તથા તેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નિગમના ગોડાઉનથી વ્યાજબી ભાવની દુકાનો સુઘી ૫હોંચતી કરી, દુકાનદારોનું કમિશન ખર્ચ ગણીને લાભાર્થીઓ સુઘી વિતરણ કરવામાં આવે છે ત્યાં સુઘીના આનુષાંગિક ખર્ચને આધારે તુવેરદાળની વેંચાણ કિંમત નિયત થાય છે.

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે તુવેરદાળના વિતરણ બાબતે અનિશ્ચિતતા ન રહે તથા સરળતાથી યોજનાનું અમલીકરણ થાય અને એકંદર બજારભાવો સ્થિર રહે તે માટે અને રેશનકાર્ડધારકો તુવેરદાળનો ઉપયોગ કરે તે માટે તુવેરદાળનો વિતરણભાવ રૂ.૫૦/- પ્રતિ કિલો ફિકસ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રીએ એમ પણ જણાવ્યું કે, તુવેરદાળનું રૂ.૫૦/- પ્રતિ કિલોના ભાવે વિતરણ આગામી મહિનાથી થશે. 
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજયની પ્રજાને અત્યંત રાહતદરે કઠોળ પુરું પાડીને કુપોષણ સામે રક્ષણ આ૫વા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની આ સરકાર કટિબઘ્ઘ છે. રાજય સરકારે કરેલા આ નિર્ણયને પરિણામે દર મહીને રૂ.૧૧/-કરોડ જેટલો વઘારાનો સબસીડી ખર્ચ થશે અને વાર્ષિક રૂ. ૧૨૦/- કરોડનો વધારાનો બોજ રાજય સરકાર વહન કરશે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news