Farmers Protest: સરકાર સાથે વાતચીતની ઓફર પર કિસાન આજે લેશે નિર્ણય

કિસાન નેતાઓએ સોમવારે દાવો કર્યો હતો કે, વાતચીત માટે આગામી તારીખને લઈને કેન્દ્રના પત્રમાં કંઈપણ નવું નથી. કેન્દ્રના નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ માટે હરિયાણા અને ઉત્તર પ્રદેશને અડીને દિલ્હીની વિવિધ સીમાઓ પર ખેડુતોએ ધીરે ધીરે ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે

Farmers Protest: સરકાર સાથે વાતચીતની ઓફર પર કિસાન આજે લેશે નિર્ણય

નવી દિલ્હી: કિસાન નેતાઓએ સોમવારે દાવો કર્યો હતો કે, વાતચીત માટે આગામી તારીખને લઈને કેન્દ્રના પત્રમાં કંઈપણ નવું નથી. કેન્દ્રના નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ માટે હરિયાણા અને ઉત્તર પ્રદેશને અડીને દિલ્હીની વિવિધ સીમાઓ પર ખેડુતોએ ધીરે ધીરે ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે. ક્રાંતિકારી ખેડૂત સંઘના ગુરમીતસિંહે કહ્યું કે ખેડૂત નેતાઓના આગામી પગલા માટે મંગળવારે બેઠક થવાની સંભાવના છે. ખેડૂત સંગઠનો પણ બિહાર જેવા અન્ય રાજ્યોના ખેડુતોનો ટેકો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

શિરોમણી અકાળી દળે કરી સંસદ સત્ર બોલાવવાની માંગ
વિપક્ષ તરફથી પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શિરોમણિ અકાળી દળે ત્રણ નવા કાયદાને રદ કરવા માટે સંસદ સત્રને બોલાવવાની માંગ કરી છે. કેરળમાં વામ લોકતાંત્રિક મોરચા સરકારે કાયદા વિરૂધ એક પ્રસ્તાવ રજૂ કરવા માટે બુધવારના વિધાનસભા વિશેષ સત્ર અયોજિક કરવાનો નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે લગભગ 40 ખેડૂત સંગઠનોના નેતાઓને રવિવારના પત્ર લખી કાયદામાં સુધારાના પૂર્વના પ્રસ્તાવ પર તેમની આશંકાઓ વિશે તેમને જણાવ્યું અને આગામી તબક્કાની વાત માટે સુવિધાજનક તારીખ નક્કી કરવા કહ્યું છે જેથી જલદીથી જલદી આંદોલન સમાપ્ત થઈ જાય.

સરકારના પત્રમાં નથી કંઈ નવું
ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેના પાંચમા રાઉન્ડની વાટાઘાટો પછી 9 ડિસેમ્બરે વાટાઘાટો મુલતવી રાખવામાં આવી હતી કારણ કે ખેડૂત સંઘોએ કાયદામાં સુધારો કરવા અને લઘુત્તમ ટેકાના ભાવને ચાલુ રાખવા લેખિત ખાતરી આપવાનો કેન્દ્રના પ્રસ્તાવનો ઇનકાર કર્યો હતો. ખેડૂત નેતા અભિમન્યુ કોહરે કહ્યું કે, તેમના પત્રમાં કંઇક નવું નથી. અમે નવા કૃષિ કાયદામાં સુધારો કરવાની સરકારની દરખાસ્તને પહેલા જ નકારી દીધી છે. તેમના પત્રમાં સરકારે અમને પ્રસ્તાવ પર ચર્ચા કરવા અને મંત્રણાના આગલા તબક્કા માટે તારીખ આપવા જણાવ્યું છે. "તેઓને અમારી માંગણીઓ ખબર નથી?" અમારે જોઈએ છે કે નવા કૃષિ કાયદો પાછા ખેંચાય. "અગ્રવાલે પત્રમાં કહ્યું છે કે," હું નમ્ર વિનંતી કરું છું કે અગાઉ આમંત્રિત આંદોલનકારી ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ બાકીની આશંકાઓની વિગતો અને અનુકુળતા પર ફરીથી વાટાઘાટ માટેની તારીખ પ્રદાન કરે. કૃપા કરીને જાગૃત થવા માટે કષ્ટ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news