અલ્પેશ ઠાકોરનું માથુ કાપી લાવનારને એક કરોડનું ઈનામઃ મહારાણી પદ્માવતી યૂથ બ્રિગેડ

ઠાકુરે કહ્યું કે, તેણે અલ્પેશનું માથુ કાપી લાવનાર માટે એક કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું છે અને દરેક જગ્યાએ તેના પોસ્ટર લગાવ્યા છે.

અલ્પેશ ઠાકોરનું માથુ કાપી લાવનારને એક કરોડનું ઈનામઃ મહારાણી પદ્માવતી યૂથ બ્રિગેડ

બહરાઇચઃ રાજ્યમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો સાથે મારપીટ કરીને તેને ભગાવવાના મામલાથી ચર્ચામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું માથા કાપનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાની પદ્માવતી યૂથ બ્રિગેડ નામના સંગઠને ઠાકોરનું માથું કાપનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવા સંબંધિત પોસ્ટર જિલ્લાની જાહેર જગ્યાઓ પર લગાવી દીધા છે. 

આ વચ્ચે પોલીસે તમામ સ્ટેશનોમાં આવા પોસ્ટરોને તાત્કાલિક હટાવીને અશાંતિ ફેલાવનાર અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો છે. પોતાને બ્રિગેડના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવનાર ભવાની ઠાકુરે જણાવ્યું કે, અલ્પેશ અને તેના સાથી રાક્ષસી પ્રકૃતિના છે જે ગરીબો-મજૂરોને મારીને કાયરતા દેખાડી રહ્યાં છે. આ લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યાં છે અને તેના વિરોધમાં તમામે એક થવું જોઈએ. 

ઠાકુરે કહ્યું કે, તેણે અલ્પેશનું માથુ કાપી લાવનાર માટે એક કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું છે અને દરેક જગ્યાએ તેના પોસ્ટર લગાવ્યા છે. જો અલ્પેશ ગુજરાત બહાર નહીં નિકળે તો લોકો ગુજરાત પહોંચીને તેનું માથું કાપશે. આ સંબંધમાં પોલીસ અધીકક્ષ અજય પ્રતાપ સિંહે જણાવ્યું કે, બહરાઇચમાં આવા પોસ્ટર લગાવ્યાની વાત સોશિયલ મીડિયા પર આવી રહી છે તેને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. 

તેમણે કહ્યું કે, અસામાજીક તથા ઉપદ્રવી તત્વોને અશાંતિ ફેલાવવાથી રોકવા માટે અમે પ્રયત્નશિલ છીએ. ઠાકોરના સંબંધમાં કરવામાં આવી રહેલી આવી ટિપ્પમઈ કોઈરીતે કાયદેસર નથી. સમાજમાં વેર ન ફેલાય તે માટે તમામ જગ્યાઓ પરથી પોસ્ટર હટાવવાનું કહ્યું છે. આ સાથે પોસ્ટર લગાવનારને રોકીને તેની પૂછપરછ કરવાનો આદેશ આપવામાં આવ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news