ઇ-દર્શન મંદિરમાં દર્શન કરવા નહી, દેશ ખુલી રહ્યો છે તો ફક્ત ધાર્મિક સ્થળ જ કેમ બંધ છે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મંદિરમાં ઇ-દર્શન દર્શન કરવા ન હોય. કોરોના સંકટ કાળમાં સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ ટિપ્પણી ઝારખંડના દેવઘરમાં બાબા વૈદ્યનાથ મંદિરમાં ભક્તોને દર્શ માટે ફક્ત ઇ-દર્શનની પરવાનગી પર કરી. 

ઇ-દર્શન મંદિરમાં દર્શન કરવા નહી, દેશ ખુલી રહ્યો છે તો ફક્ત ધાર્મિક સ્થળ જ કેમ બંધ છે?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યું કે મંદિરમાં ઇ-દર્શન દર્શન કરવા ન હોય. કોરોના સંકટ કાળમાં સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ ટિપ્પણી ઝારખંડના દેવઘરમાં બાબા વૈદ્યનાથ મંદિરમાં ભક્તોને દર્શ માટે ફક્ત ઇ-દર્શનની પરવાનગી પર કરી. 

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે કોરોના સંકટકાળમાં ભીડ ન થાય, તેના માટે ભક્તોને મંદિરમાં સીમિત સંખ્યામાં દર્શન કરવાની વ્યવસ્થા કેમ નથી કરતા? આ મામલે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે જેમાં હાઇકોર્ટે આ મંદિરમાં લોકોને ઇ-દર્શનની જ પરવાનગી આપી છે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે જ્યારે દેશ ખુલી રહ્યો છે તો ફક્ત ધાર્મિક સ્થળ જ કેમ બંધ છે? જો સંપૂર્ણ લોકડાઉન હોય તો આ અલગ વાત છે, પરંતુ હવે જ્યારે અન્ય વસ્તુઓ ખોલવામાં આવી રહી છે તો પછી મંદિરો, મસ્જિદો અને ચર્ચોને પણ ઓછામાં ઓછું મહત્વપૂર્ણ અવસરો પર ખોલવાની પરવાનગી આપવી જોઇએ. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news