યુક્રેનમાં જીવ ગુમાવનારા ભારતીય વિદ્યાર્થીનો 2 દિવસ પહેલાનો વીડિયો આવ્યો સામે

રશિયાની ગોળીબારીને કારણે એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયુ છે. ખારકીવમાં થયેલી શેલિંગની રેન્જમાં આવવા પર ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. આ વિદ્યાર્થી કર્ણાટકનો રહેવાસી છે. 
 

યુક્રેનમાં જીવ ગુમાવનારા ભારતીય વિદ્યાર્થીનો 2 દિવસ પહેલાનો વીડિયો આવ્યો સામે

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેનનું રૂપ સતત ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. યુક્રેનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. લોકોને હવે ત્યાં ડર લાગી રહ્યો છે. તેવામાં મંગળવારે કર્ણાટકના નવીનનું ખારકીવમાં મોત થયું છે. નવીન ગોળીબારનો ભોગ બન્યો છે. મહત્વનું છે કે સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સ્વદેશ વાપસી માટે સતત કામ કરી રહી છે, તેમ છતાં તેમાં સમય લાગી રહ્યો છે. જે નવીનનું મૃત્યુ થયુ છે તેનો બે દિવસ પહેલાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પરિવારજનો સાથે વાત કરી રહ્યો છે. 

કર્ણાટકના નવીનનું મૃત્યુ
વિદ્યાર્થીનું મોત રશિયાની ગોળીબારીને કારણે થયું છે. ખારકીવમાં થયેલી શેલિંગની રેન્જમાં આવવા પર આ ભારતીય વિદ્યાર્થીનું મોત થયુ છે. ખારકીવમાં પોતાનો જીવ ગુમાવનાર વિદ્યાર્થીનું નામ નવીન શેખરપ્પા છે. 21 વર્ષનો નવીન કર્ણાટકના ચલાગેરીનો રહેવાસી હતો. આ ભયાનક માહોલ વચ્ચે તેણે બે દિવસ પહેલા ઘરે વાત કરી હતી. 

બે દિવસ પહેલા યુક્રેનમાં ફસાયેલા નવીને પરિવારજનો સાથે વીડિયો કોલથી વાત કરી હતી, ત્યારે તેણે આશા વ્યક્ત કરી હતી કે જલદી સ્વદેશ પરત ફરશે. 

पढ़िए पल-पल की अपडेट - https://t.co/hlHmisWPQK pic.twitter.com/2KZ9tcL03z

— Zee News (@ZeeNews) March 1, 2022

વિદેશ મંત્રાલયે કહ્યું, ભારતીય નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા
વિદેશ મંત્રાલયે કહ્યું કે ખારકીવમાં ખરાબ થતી સ્થિતિ ચિંતાનું કારણ છે. ખારકીવમાં ભારતીય નાગરિકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોની વાપસી નક્કી કરવા માટે દરેક સંભવ પ્રયાસ યથાવત રાખીશું. 

મંત્રાલયે કહ્યું છે કે અમે પહેલાં જ રશિયા અને યુક્રેનના દૂતાવાસોની સાથે ખારકીવ અને સંઘર્ષ ક્ષેત્રોના અન્ય શહેરોથી વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકો માટે સુરક્ષિત માર્ગનો મુદ્દો ઉઠાવ્યો હતો. 9000 થી વધુ ભારતીય નાગરિકોને યુક્રેનથી બહાર લાવવામાં આવ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં હવે સુરક્ષિત ક્ષેત્રમાં છે. તેવામાં જરૂરી છે કે રશિયા અને યુક્રેન સુરક્ષિત રસ્તાને લઈને અમારી જરૂરીયાત પર તત્કાલ પ્રતિક્રિયા આપે. 

ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
યુક્રેનની રાજધાની કિવમાં સ્થિતિ સતત બગડી રહી છે. આ બધા વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયો માટે એક મહત્વની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ આજે જ કિવ છોડી દે. એવુ પણ કહેવાયું છે કે કિવ છોડવા માટે જે પણ સાધન મળે તે પકડીને તરત ત્યાંથી નીકળી જાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news