Corona ના કારણે છાતીમાં દુ:ખાવો અને શ્વાસની સમસ્યા વધી રહી છે, આ લક્ષણો પર ખાસ ધ્યાન આપો

કોરોના વાયરસની બીજી લહેર અનેક વેરિએન્ટ લઈને આવી છે અને આ વેરિએન્ટ ખુબ ઘાતક સાબિત થઈ રહ્યા છે. જેમાંથી કેટલાક કેસમાં તો દર્દી જલદી ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે અને મોત થઈ જાય છે. 

નવી દિલ્હી: કોરોનાના કારણે દેશમાં દિન પ્રતિદિન હાલાત બગડી રહ્યા છે. આ માટે નવા વેરિએન્ટને પણ જવાબદાર ગણાઈ રહ્યો છે. કોરોનાની આ બીજી લહેરમાં લોકોમાં એવું સંક્રમણ જોવા મળી રહ્યું છે જેમાં ખુબ જ ઓછા દિવસમાં હાલત ગંભીર થઈ જાય છે અને તમને બચાવવા મુશ્કેલ બને છે. આવામાં કેટલાક લક્ષણો નજર અંદાજ ન કરવા અને તે જો જોવા મળે તો તરત વિશેષજ્ઞોની સલાહ લેવી ખુબ જરૂરી છે. 

તાવ પણ ખતરનાક

1/8
image

મોટાભાગના કોરોના સંક્રમિતોને તાવ આવે છે. સૂકી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફની સાથે જો તાવ પણ આવે તો તે સંક્રમણનો એક મજબૂત સંકેત છે. એક સ્ટડીમાં લગભગ 40 ટકા કોરોના સંક્રમિત દર્દીઓએ શ્વાસમાં તકલીફની વાત કરી છે. આવામાં જો દર્દીનો ઓક્સિજન લેવલ 94થી નીચે જાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને જરૂર પડ્યે ઓક્સિજન સપોર્ટ લેવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. 

લોહીમાં ઈન્ફેક્શન

2/8
image

આ વાયરસ આપણા શરીરના ભાગોમાં ખરાબ અસર નાખે છે. જેના કારણે બ્લડ ઈન્ફેક્શન પણ થઈ શકે છે કારણ કે કોવિડ-19 શરીરમાં રક્ત પ્રવાહ દ્વારા જ ફેલાય છે. જેના કારણે પલ્મોનરી એમ્બોલિઝમ થઈ શકે છે. એટલે કે બ્લડ ક્લોટ તૂટીને ફેફસામાં ફેલાઈ જાય છે. જેનાથી દર્દીને છાતીમાં દુ:ખાવો થાય છે અને ફેફસામાં લોહીના સપ્લાયમાં સમસ્યા ઊભી થાય છે. 

હ્રદયરોગના દર્દીઓ ધ્યાન આપે

3/8
image

એવા દર્દીઓ જે પહેલેથી જ કાર્ડિયાક ડિસિઝ કે કોરોનરી આર્ટરી ડિસિઝ સામે ઝઝૂમી રહ્યા છે તેમણે પોતાનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. કોરોના સંક્રમણ કોઈ પણ જૂની બીમારીને ટ્રિગર કરી શકે છે અને માયોકાર્ડાઈટિસ, માઈલ્ઝિયા સહિત અને સમસ્યાઓનું કારણ બની શકે છે. 

ફેફસામાં ઈન્ફલેમેશન

4/8
image

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓમાં ફેફસા સંબંધિત સમસ્યા વધુ જોવા મળી રહી છે. જેના પગલે આ વખતે ડોક્ટર ચેસ્ટ  એક્સરે કે સીટી સ્કેન કરાવવાની સલાહ વધુ આપી રહ્યા છે. જેથી કરીને ફેફસામાં ઈન્ફેક્શનનું લેવલ જાણીને યોગ્ય સારવાર કરી શકાય. 

કોવિડના કારણે થતો ન્યૂમોનિયા

5/8
image

કોવિડ-19થી સંક્રમિત અનેક દર્દીઓમાં ન્યૂમોનિયા થવાના કેસ સામે આવ્યા છે. તે ખુબ જ ગંભીર હોય છે અને તેમાં છાતીમાં ફ્લૂઈડ વધવા લાગે છે. જેનાથી દર્દીને રાતે વધુ મુશ્કેલી થાય છે. 

સૂકી ઉધરસ થાય તો પણ સાવધ રહો

6/8
image

અનેક કોરોના સંક્રમિત દર્દીઓને સૂકી ઉધરસ પણ થાય છે. તે પણ રેસ્પિરેટરી સિસ્ટમને પ્રભાવિત કરે છે. આથી આ લક્ષણ સામે આવતા જ ડોક્ટરનો સંપર્ક કરો કારણ કે તે ગંભીર થતા પાંસળીઓ અને છાતીના પોલાણ પાસે માંસપેશીઓ તૂટવાનું જોખમ રહે છે. 

આ કારણ હોઈ શકે છાતીમાં દુખાવાનું

7/8
image

સંક્રમણના કારણે છાતીમાં દુખાવાનું કારણ અપર રેસ્પિટરેટરી ટ્રેકમાં ઈન્ફેક્શન્સ હોઈ શકે છે. આવું થાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. દર્દીને છાતીમાં દુખાવાની સાથે બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે.

છાતીમાં દુખાવાને નજરઅંદાજ ન કરો

8/8
image

કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓની છાતીમાં દુખાવો થવો ખુબ સામાન્ય લક્ષણ છે. માઈલ્ડ કેસોમાં પણ તે લક્ષણ સામાન્ય છે. ડોક્ટરોનું કહેવું છે કે તેની પાછળ અનેક કારણ હોઈ શકે છે. આથી તેને અવગણો નહીં.