ગુજરાતમાં અહીં આવ્યું છે ભૂતનું મંદિર, એક સમયે વૃક્ષ પર હતો બાબરા ભૂતનો વાસ

Gujarat Tourism : આમ તો ભૂત એ એક જાતનો ભ્રમ છે. કોઈ કહે છે તેમણે ભૂત જોયા છે, તો કોઈ કહે છે ભૂત જેવુ કંઈ હોતુ નથી. આ તો શ્રદ્ધાનો વિષય છે. ગુજરાતમાં અનોખા મંદિર આવેલા છે, જેમાં એક ભૂતનું મંદિર પણ છે. ગુજરાતમાં બાબરા ભૂતનું અનોખું મંદિર છે, જ્યાં એક સમયે લોકો જતા ડરતા હતા, પરંતુ હવે ત્યાં ડર વગર માથુ ટેકવે છે. વર્ષોથી એવું કહેવાય છે કે, કોઈ પણ માણસ કોઈપણ મુશ્કેલીમાં હોય કે કોઈ પણ કામમાટે બાબરિયા ભૂતની બાધા-આખડી રાખે તો તેના તમામ કામ પૂર્ણ થાય છે. ગુજરાતનું એકમાત્ર ભૂત મંદિર અરવલ્લીમાં આવેલું છે. બાબરા મહારાજ ખેડૂતોની મનોકામનાઓ પૂર્ણ કરે છે; ખેતરમાં પાકેલું ધાન્ય પહેલા ભૂતને મુકાય પછીજ ઉપયોગમાં લેવાય છે. ત્યારે કોણે આ ભૂતનું મંદિર બનાવ્યું તે જાણીએ. 

1/8
image

શ્રદ્ધા હોય ત્યા પુરાવાની જરૂર નથી. તેવી જ રીતે ગુજરાતના આ ભૂતના મંદિરને પણ પુરાવાની જરૂર નથી. આજે તે ભૂત મંદિર તરીકે આખા દેશમાં પ્રખ્યાત બની ગયું છે. અહી એક ભૂતની પૂજા થાય છે, જેનુ નામ છે બાબરા ભૂત. અરવલ્લી જિલ્લાના લીંભોઈ ગામે આ ભૂત મંદિર આવેલું છે. 

2/8
image

સ્થાનિક લોકોએ આ મંદિર વિશે જણાવ્યું કે, અહી સાગના વૃક્ષ નીચે એક બાબરા ભૂતનું મંદિર બનાવવામાં આવ્યું છે. બાબરા ભૂત નું નાનું મંદિર બનાવી ખેડૂતોએ નિયમ કર્યો કે, આ વિસ્તારમાં જે કોઈ ખેતરમાં પાક થશે તે પાકમાંથી મુઠી ભર પાક બાબરાવીર ને ધરાવ્યા બાદ પાક ઘરે લઈ જવો. ત્યારથી આ પરંપરા ચાલુ રહી છે. અત્યારે પણ ખેડૂતો પાકનો ભોગ મંદિરે ધરાવે છે. 

3/8
image

બાબરાવીર ને પ્રસાદ અને નૈવેધ સ્વરૂપે સુખડી, શ્રીફળ અને સિગારેટ ધરાવવામાં આવે છે. દિવાળી અને નવરાત્રિના દિવસોમાં આ મંદિરે મોટા મેળાવડા પણ થાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.

4/8
image

એક સમય એવો હતો, જ્યાં અહી આવતા પણ લોકો ડરતા હતા. પરંતુ હવે તો અહી શ્રદ્ધાળુઓની સતત ભીડ રહે છે. લોકવાયકા છે કે, વર્ષો પહેલા અહી સાગના વૃક્ષ નીચે એક બાબરા નામના ભૂતનો વાસ હતો. લોકો અહીથી પસાર થતા પણ ડરતા હતા. તેથી અહી તેના નામનું મંદિર બનાવી દેવાયું, ત્યારથી અહી ભૂતનો ડર નથી રહ્યો.

5/8
image

આ વિશ્વનું એકમાત્ર એવુ ભૂત મંદિર છે, જ્યાં લોકોને જવાનો ડર નથી લાગતો. પરંતુ લોકો અહી વિવિધ માનતા પૂરી કરવા આવે છે, પોતાની ઈચ્છા પૂરી કરવા બાધા રાખે છે, અને બાદમાં તેને પૂરી કરવા આવે છે. આ રીતે એક ભૂત શ્રદ્ધાળુઓ માટે બાબરીયા વીર બની ગયો છે. 

6/8
image

7/8
image

8/8
image