હવે ગુજરાતીઓને કાશ્મીર-કેરળ જવાની જરૂર નહિ પડે, હાઉસબોટની તસવીરો જોઈને તમારુ મન લલચાઈ જશે

જયેશ દોશી/પંચમહાલ :સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધાનો ઉમેરો કરાયો છે. હવે ફરવાના શોખીન ગુજરાતી પ્રવાસીઓને કાશ્મીર, કેરળ કે અન્ય દેશોમાં હાઉસ બોટનો લ્હાવો લેવા જવું નહીં પડે. હવે ગુજરાતમાં જ હાઉસબોટમાં ફરી શકાશે. હવે નર્મદા કાંઠે વસેલ એકતાનગર (કેવડિયા) માં જ હાઉસબોટનો નજારો માણી શકાશે. જેમાં રહેવાનો મોકો પણ મળશે. તળાવ નંબર ત્રણ ખાતે ખાનગી કંપની દ્વારા એક હાઉસબોટ તરતી મૂકવામાં આવી છે. જેમાં પ્રવાસીઓને રહેવા તથા જમવાની તમામ વ્યવસ્થા કરવામાં આવશે.
 

1/4
image

2/4
image

3/4
image

4/4
image